SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ અભિનંદન ચિતાર આપનારાં પાનાંમાંનું છેલ્લું પૂરું કર્યું, ત્યાં ટપાલમાં બારડેલીની સમાધાનીના ખુશ ખબર આવ્યા, જેને માટે ઘણે સમય થયાં રાહ જેવાતી હતી. . . . સમાધાની બન્ને પક્ષને શોભે એવી છે. મેં સરદાર વલ્લભભાઈને એક મહિના ઉપર લખ્યું હતું તેમ સત્યાગ્રહને ઊંડે, સાચે અથ ખરેખર “નિબલની સંપત છે”- જેમને સાચી વસ્તુ મેળવીને સંતોષ છે, અને જેઓ અસત્યની માયા પાછળ ભમનારા નથી, તેમની સંપત છે. બારડેલી મારફત જગતને સત્યાગ્રહને પદાર્થપાઠ આપવાનું તમારું સ્વમ આજે બારડેલીએ પોતાની રીતે સફળ કર્યું છે.” ગાંધીજી જે તે પ્રસંગે બારડોલીમાં હતા તેમણે મુંબઈ સરકારને, બારડોલીના ખેડૂતોને અને શ્રી. વલ્લભભાઈને યંગ ઇડિયામાં અભિનંદન આપ્યું. તેમણે લખ્યું: “વલ્લભભાઈની દઢતા તેમજ નમ્રતા વિના આ સમાધાન થઈ જ ન શકયું હોત.” સત્યાગ્રહીઓએ જે માગ્યું હતું તે બધું તેમને મળ્યું છે. તપાસસમિતિના કર્તાવ્યક્ષેત્રની આંકણું આપણે ઇચ્છીએ તેવી જ થઈ છે. એટલું છે કે મહેસૂલ વસૂલ કરવા માટે સરકારની દમનનીતિનાં કૃત્યની બાબતમાં જે આક્ષેપ છે તે સંબંધમાં કશી તપાસ નથી થવાની. પરંતુ એ માગણી જતી કરવામાં શ્રી. વલ્લભભાઈએ ઉદારતા દાખવી છે, કારણ ખાલસા થયેલી જમીન, વેચાઈ ગયેલી જમીન સુદ્ધાં પાછી મળવાની છે, તલાટીઓને ફરી પોતપોતાની નોકરી ઉપર ચડાવી દેવાના છે, અને બીજી ગૌણ બાબતો ઉપર પણ ધ્યાન આપવામાં આવનાર છે.” - લાલા લજપતરાયે “પીપલ'માં લખતાં જણાવ્યું: “સરકાર અને બારડોલીના ખેડૂતો વચ્ચેની લડતનું સમાધાન એ લોકપક્ષનો એક મહત્ત્વનો વિજય છે, તેમ જ સરકારને માટે પણ માનભરી વસ્તુ છે. સત્ય અને ન્યાયને એ નૈતિક વિજ્ય છે. વળી લોકમત જે સારી રીતે સંગઠિત કર્યો હોય અને તેની પાછળ બળ હોય તે તેના દબાણને સરકાર પણ વશ થાય તેવી છે એ આ સમાધાનમાં ચેકસ દેખાય છે. લડત મક્કમ અને સંગઠિત હોય અને તેની સાથે ભોગ આપવાની પૂરી તૈયારી હોય તો જ તે કાળે તેની અસર પડે જ છે.” ૨૫૯
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy