________________
મોલી સત્યાગ્રહને ઇતિહાસ
પ્રકરણ.
સિમલામાં વલ્લભભાઈ ને દેખતાંની સાથે જ ભલે પધારે ખરડાલીના સરદાર ! તમે ઇતિહાસ ધડવો છે' એમ મેલીને ભેટી પડતા સ્વ. લાલાજીની મૂર્તિ હજી નજર આગળ તરે છે.
પંડિત મેાતીલાલ નેહરુએ આ સમાધાનને ‘સુંદર વિજય ’’ કહીને ગાંધીજી અને શ્રી. વલ્લભભાઈ ને અભિનંદન આપ્યું.
શ્રી. રાજગાપાલાચારીએ લખ્યું: “ ખરેખર આ વિજય અદ્ભુત છે, અને જે રીતે આ પરિણામ આવ્યું તે જોઈને મને બહુ આનંદ થાય છે. ગાંધીજીએ લખ્યું છે તેમ હજી તેા બહુ કામ કરવાનું છે. હું આશા રાખું છું કે આખરે ખેડૂતને ન્યાય મળશે જ. પરંતુ રાષ્ટ્રીયતાની અને નીતિની દૃષ્ટિએ વિજય મળી જ ચૂક્યો છે. . આપણા દેશના ઇતિહાસમાં વલ્લભભાઈનું કા બહુ ભારે છે.”
પંડિત મદનમેહન માલવીયજીએ વલ્લભભાઈને અભિનંદન આપતાં કહ્યું : “ સત્યાગ્રહની એક સચેટ જીત ચંપારણમાં થઈ હતી. મીજી અને તેના જ જેવી મહાન જીત બારડેાલીની છે. '' શ્રી. કનૈયાલાલ મુનશીએ તાર કર્યોં : આપણા દેશના જાહેર જીવનના ઈતિહાસમાં અતિશય ઉજ્જ્વળ વિજય માટે અભિનંદન.
"(
(6
શ્રી. સત્યમૂર્તિને તાર હતા ઃ હાર્દિક અભિનંદન. સ્વરાજ્યના એકમાત્ર માર્ગોમાં તમે આગેવાન થયા છે.’
શ્રી. શુભાશ ખેાઝે તારથી જણાવ્યું: આ યશસ્વી વિજય માટે તમારી સાથે સારું હિંદ આનંદ અનુભવે છે. સત્યાગ્રહીએ અને તેમના નેતાને વંદન. ’’
મા. શાકતઅલી અને વેબ કુરેશીએ ‘આપણા બહાદુર ભાઈ આ, સરદાર અને સાથીઓને' તારથી અભિનંદન આપ્યા. મિ. રિચર્ડ ગ્રેગે ગાંધીજી ઉપરના કાગળમાં લખ્યુંઃ “ખારડાલીના ખેડૂતાને, આપને અને શ્રી. વલ્લભભાઈ પટેલને હાર્દિક અભિનંદન. લડત ભવ્ય હતી અને સંગઠનની દૃષ્ટિએ તે આખા દેશને એક અસરકારક દૃષ્ટાન્તરૂપ તે થઈ પડશે. કિંમત તે ભારે આપવી પડી, પણ વિજયનાં પરિણામ સહન કરેલાં કષ્ટા
૨૬૦