________________
૩૧ મુ
સત્યાગ્રહના જયજયકાર
સહી કરી—એ ત્રણચાર શા સાઅંદર ભળ્યા એ ભગવાન જાણે. એ જ વખતે સર ચુનીલાલ મહેતાની વિનંતિથી રા. બ. ભીમભાઈ નાયક, શ્રી. કનૈયાલાલ મુનશી, અને ખીજા કેટલાક સૂરત કલેક્ટરને મળી સત્યાગ્રહીઓની વેચેલી જમીન પાછી મૂળ માલિકાને નામે ચડાવી દેવડાવવા માટે સૂરત ગયા. આ ખરીદનાર તે ઈનમીન અને સાડાતી ન હતા. તેમને કલેક્ટરે ક્રૂઢાવી મંગાવ્યા, અને તેમને સમજાવી, દબાવીને તેમણે બધાએ મળી ૧૨,૦૦૦ રૂપિયાની જમીન ખરીદેલી તેટલા ૧૨,૦૦૦ રૂપિયા પાછા આપી તેમની પાસે જમીન છેડાવવામાં આવી. આ લેાકાને 'જૂના કલેકટર અને કમિશનરે પેાતાની ગાંઠનાં વચના આપ્યાં હશે, એટલે એ જમીન તેમની પાસે છેડાવવી કેટલી મુશ્કેલ પડી હતી તેનું રમૂજી વર્ણન આ પ્રકરણમાં અગ્રગણ્ય ભાગ લેનાર શ્રી. મુનશીએ શ્રી. વલ્લભભાઈ ને મેાકલ્યું હતું. જૂના કલેકટરે બિચારાએ ઘણીવાર પોતાનાં ‘ શુભ વચને 'માં કહેલું કે વેચેલી અને ખાલસા થયેલી જમીન કદી પાછી આપવામાં ન આવે, તેમને તા આ ટાંકણે જ સરકારે ખીજા જિલ્લામાં મેાકલી દીધા. હતા, અને નવા કલેક્ટર મિ. ગૅરેટને આ કામ કરવામાં કાંઈ નાનમ લાગે એમ નહેતું. જે દિવસે સૂરતના સભ્યાએ પેલેા કાગળ લખ્યા તે જ દિવસે ગાંધીજીએ અને શ્રી. વલ્લભભાઈ એ “જે શબ્દોમાં માગેલી હતી તે જ શબ્દોમાં તપાસમિતિ નિમાવાનું જાહેર થયું. અને પેલા ખીજા કાગળના જવાખમાં રેવન્યુ :મેમ્બરે લખ્યું કે બધી જમીન પાછી આપી દેવામાં આવશે, કેદીઓ બધા છૂટી જશે, અને તલાટીએ ઘટતા શબ્દોમાં અરજી કરે એટલે તેમને પાછા નેકરી ઉપર ચડાવવામાં આવશે. શ્રી. વલ્લભભાઈએ આટલું થયું એટલે પેાતાને સ`તેાષ જાહેર કર્યો, અને જાહેર રીતે તેમણે સત્કાર સુદ્ધાં સાને આભાર માન્યા, અને ખેડૂતને ઉદ્દેશીને પત્રિકા કાઢી તેમાંનેા મુખ્ય ભાગ આ હતાઃ “ આપણી ટેક જાળવવાને સારુ આપણે આપણે હવે જૂનું મહેસૂલ ભરવાનું છે, વધારે
૨૫૫
ઈશ્વરના પાડ માનીએ. ભરવાનેા નથી. જૂનું