SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ બારડોલી સત્યાગ્રહને ઇતિહાસ પ્રકરણ મહેસૂલ ભરવાની તૈયારી સૌ કરી મૂકશે એવી આશા રાખું છું. ભરવાને સમય મુકરર થયે જાણ કરીશ.” કેદીઓ છૂટશે એવી આશા રાખીને એમણે આ વાક્ય લખ્યું હતું. પણ સરકારને હજી ખબર નહોતી કે શ્રી. વલ્લભભાઈને સમાધાની પસંદ પડી કે નહિ એટલે કલેક્ટરને બારડોલી જઈને શ્રી. વલ્લભભાઈ પાસે એ જાણી લેવાના હુકમ મળ્યા. શ્રી. વલ્લભભાઈએ જણાવ્યું કે મારો સંતોષ અને ધન્યવાદ તે હું મારી ગુજરાતી પત્રિકામાં દર્શાવી ચૂક્યો છું. એટલે તુરત જ કલેકટરે સરકારને તાર કર્યો, અને બીજે જ દિવસે બધા કેદીઓને છોડી દેવામાં આવ્યા, તલાટીઓને પાછા લેવા વિષેની અરજી શ્રી. વલ્લભભાઈએ જ ઘડી હતી અને તે કલેકટરને ગમી, એટલે તુરત જ તેમણે તેમની નિમણુકને હુકમ કાઢવ્યા. આ થયું એટલે લોકેનો ધર્મ હવે જૂનું મહેસૂલ ભરવાનું પોતાનું કર્તવ્ય કરવાનો હતો. એક મહિનાની અંદર તે લોકોએ બધું મહેસૂલ ભરી દીધું. આમ “નિર્બલ કે બલ રામનો આધાર રાખી પિતાની ટેક ઉપર મૂઝનારા અને સંકટ સહન જ મેટું શસ્ત્ર માની છે મહિના સુધી બળિયાની સાથે બાથ ભીડનારા બારડોલીના. ભલાભોળા ખેડૂતોને વિજય થયો. સત્ય અને અને અહિંસાને આવો વિજય કેટલાંક વર્ષ થયાં હિંદુસ્તાને જાણે નહે. સરદારની ત્રણ સફળ લડતમાની ભારેમાં ભારે આ લડત હતી; સ્વરાજ્યને પંથે તેમણે નાંખેલા મજલ દાખવનારા સ્તંભેમાંને આ ત્રીજે સ્તંભ. નાગપુર સત્યાગ્રહમાં માત્ર એક હક સાબિત કરવાનો હતો તે સાબિત થયો. બારસદની લડતના જેવી શીઘ ફલદાયી અને સંપૂર્ણ સફળતાભરી તો એકે લડત થઈ નથી, પણ એ સ્થાનિક પ્રકારની હતી અને દોઢ જ માસમાં પૂરી થઈ એટલે દેશમાં ઘણાએ એને વિષે કશું જાણ્યું નહોતું. પણ બારડોલી સત્યાગ્રહ અપૂર્વ કહેવાય. કારણ તેણે દેશનું નહિ પણ સામ્રાજ્યનું ધ્યાન ખેંચ્યું હતું, અને લોકોની માગણીના ન્યાયીપણા અને મર્યાદાને લીધે એણે આખા દેશની સહાનુભૂતિ મેળવી હતી. ૨૫૬
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy