SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ આરડેલી સત્યાગ્રહનો ઇતિહાસ પ્રકરણું * સર ચુનીલાલને કશી શંકા નહોતી જ. તેઓ રાજી થયા. ભગવાનની જેમ સરકારની ગતિ અગમ્ય છે. શ્રી. વલ્લભભાઈએ કહ્યું કે સૂરતના સભ્યો એ કાગળ લખવાને રાજી હોય તે મને વાંધો નથી એટલે તુરત જ સમાધાન નક્કી થયું ! સર ચુનીલાલ મહેતાને વિષે બે શબ્દ અસ્થાને ન ગણાય. સર ચુનીલાલને બીજા કોઈ પણ જાણ કરતાં સરકારના મનની વિશેષ ખબર હતી, એટલે તેઓ બધું જોઈ વિચારીને અને સમજીને -જ કરતા હતા. આ અણીને વખતે તેમની દેશભક્તિ તરી આવી • હતી, અને સરકાર પ્રતિષ્ઠાના ભૂતને વળગતી ઉઘાડી પડે એ ભોગે પણ આ પ્રકરણનો અંત આણી બારડોલીના ખેડૂતને ન્યાય મળે એ વિષે તેઓ આતુર હતા. સરકાર કાંઈ થોડી જ આ પહેલીવાર ઉઘાડી પડવાની હતી! પણ જે સરકાર પ્રતિષ્ઠાની માયાને વળગીને સંતોષ માનવાને તૈયાર હતી, તે શ્રી. વલ્લભભાઈ તત્વના સત્ય વિના સંતોષ માને એમ નહોતું. તેમને તે સંપૂર્ણ, સ્વતંત્ર, ન્યાયપુરઃસર તપાસ જોઈતી હતી, અને લડાઈ પહેલાં જે સ્થિતિ હતી તે સ્થિતિ જોઈતી હતી. આટલું કરવાને તે સરકાર તૈયાર હતી જ, પણ ત્યાંયે પ્રતિષ્ઠાની માયા વળગેલી હતી જ. પેલો કાગળ લખવામાં આવે કે તરત જ તપાસ તે જે શબ્દમાં શ્રી. વલ્લભભાઈએ માગી હતી તે જ શબ્દોમાં –બળજેરીનાં કૃત્યેની તપાસ બાદ કરીને તેના તે જ શબ્દોમાં – જાહેર થશે એમ નકકી થયું, અને તલાટીઓને પાછી લેવા બાબત, જમીન પાછી આપવા બાબત, અને કેદીઓને છોડવા બાબત સૂરતના સભ્યો રેવન્યુ મેમ્બરને એક શિરસ્તા મુજબ કાગળ લખે એટલે તુરત ઘટતું કરવામાં આવશે એમ ઠર્યું. છેવટને નુકસાનીના બદલા વિષેને ભાગ કાગળમાં લખવાનો નહોતો, પણ સરકારી રાહે ઘટતું કરવામાં આવશે એમ કર્યું. શ્રી. વલ્લભભાઈને આથી વધારે કશું જોઈતું નહોતું. તેમને તો કામની સાથે વાત હતી, નામની સાથે વાત નહોતી. " બાકીની કથા તે ઝટ ઝટ કહી જવાય એવી છે. પેલા એક વાકયના કાગળ ઉપર સૂરતના અને બીજા ત્રણચાર સભ્યોએ ૨૫૪
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy