SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ પ્રકરણ સરકારને નવા મહેસૂલ અને જૂના મહેસૂલના તફાવત જેટલી રકમ ભરી દેવાની માગણી કરી. જો કે પ્રથમ તે “તમારી માગણી સૂરતના સભ્યો દ્વારા આવવી જોઈએ એમ તેમને સરકાર તરફથી કહેવામાં આવ્યું તે પણ પાછળથી જે બન્યું તે ઉપરથી સમજી શકાય છે કે એ ભાઈને ઊભા કરનાર પણ સરકારના કેઈ આડતિયા હતા, અને એમની પાસેથી પૈસા આવ્યા ત્યારે તે કોના તરફથી આવ્યા તેના પ્રપંચમાં પડવાની સરકારને કશી પડી નહોતી. ગમે તેમ હોય, ધારાસભાના સભ્યોની ભડક ભાંગી નહિ. તેઓ ગવર્નરને મળ્યા, સરકારના કારભારી મંડળને મળ્યા. આ લોકેએ એની એ જ વાત તેમની આગળ કરી. શ્રી. કનૈયાલાલ મુનશી, જે સર ચુનીલાલ મહેતાની સાથે મસલત ચલાવી રહ્યા હતા તેમને લાગ્યું કે ગાંધીજી અને વલ્લભભાઈ પાસેથી જાણું લેવું કે કેટલાથી તેઓ સંતોષાય એમ છે. એટલે શ્રી. મુનશી ગાંધીજી અને શ્રીવલ્લભભાઈની મુલાકાતે ગયા, અને તેમની પાસેથી નીચેના ખરડ મેળવ્યો: ૧. તપાસ જાહેર થાય કે જૂનું મહેસૂલ ભરવું. ૨. સત્યાગ્રહીઓએ તપાસ જાહેર થાય કે તરત જ જૂનું મહેસૂલ ભરી સત્યાગ્રહ બંધ કર. ૩. તપાસ સ્વતંત્ર ન્યાયપુર:સર થવી જોઈએ, અને તે કરનાર કાં તો ન્યાયખાતાને અમલદાર કે તેની સાથે કોઈ રેવન્યુ ખાતાને અમલદાર હોય, અને તે તપાસના મુદ્દા નીચે પ્રમાણે હોય, અને લોકોને વકીલ મારફત પુરાવા આપવાની અને સરકારના સાક્ષીઓની ઊલટતપાસ કરવાની જરૂર લાગે તે તેમ કરવાને તેમને અધિકાર હોય? બારડેલી અને વાલોડના લોકેની નીચેની બે ફરિયાદે તપાસીને, તેની ઉપર રિપોર્ટ કરોઃ - (૧) તાલુકામાં થયેલ મહેસૂલને વધારે જમીન મહેસૂલના કાયદાને. અનુસાર નથી; , (૨) એ મહેસૂલ વધારા વિષે જે રિપોર્ટો અને જાહેરનામાં બહાર પડ્યાં છે તેમાં વધારાને વાજબી ઠરાવવાને લાયક સામગ્રી નથી અને. કેટલીક હકીકત અને આંકડા ખેટા છે; અને જે લોકોની ફરિયાદ સાચી હોય તે સ્ત્રના મહેસૂલ ઉપર કેટલા ટકા વધારવા કે ઓછા કરવા તેની ભલામણ કરવી; ૨૪૬
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy