SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ -૩૦ મું જેને રામ રાખે સત્યાગ્રહ કરવાને પણ સમય આવ્યું નથી. બારડેલીએ હજી તાવણી માંથી પસાર થવાનું છે. જે છેવટની તાવણમાંથી એ નીકળશે અને સરકાર છેલ્લી હદ સુધી જશે તે સત્યાગ્રહને હિંદુસ્તાનમાં ફેલા અટકાવવાની અથવા બારડોલી સત્યાગ્રહને હેતુ સંકુચિત છે તેને બદલે વિસ્તૃત થતો અટકાવવાની વલ્લભભાઈની કે મારી મકર નથી. પછી તો - સત્યાગ્રહની મર્યાદા એ કેવળ આખા દેશની આત્મબલિદાન અને કષ્ટસહનની શક્તિથી બંધાશે. જે એ મહાપ્રયાગ આવવાનો જ હશે તો તે સ્વાભાવિક રીતે જ આવશે, અને તેને ભલો ભૂપ પણ અટકાવી શકવાનો. નથી. પણ સત્યાગ્રહનું રહસ્ય હું જે રીતે સમજું છું તે રીતે તે શ્રી. વલ્લભભાઈ અને હું સરકારની ગમે તેટલી ઉશ્કેરણી છતાં બારડોલી સત્યાગ્રહને તેની મૂળ મર્યાદામાં જ રાખવાને બંધાયેલા છીએ—પછી • ભલેને એ ઉશ્કેરણું એ મર્યાદા ઓળંગવાનું વાજબી ઠરાવે એટલી બધી હોય. સાચી વાત એ છે કે સત્યાગ્રહી સદાયે માને છે ઈશ્વર તેને સાથી છે, ઈશ્વર તેને દેરી રહ્યો છે. સત્યાગ્રહીઓને નેતા પોતાના બળ ઉપર નથી ઝઝ, પણ પ્રભુના બળ ઉપર ઝૂઝે છે. તે અંતરાત્માને વશ વર્તે છે. એટલે ઘણીવાર બીજાને જે શુદ્ધ વ્યવહાર લાગે છે તે તેને ઇંદ્રજાલ લાગે છે. હિંદુસ્તાન ઉપર આજે તુમુલમાં તુમુલ લડત ઝઝૂમી રહી છે તે ઘડીએ આવું લખવું મૂર્ખાઈભરેલું અને સ્વપ્રદશ લાગે. પણ મને જે ઊંડામાં ઊંડું સત્ય લાગે છે તે જે હું પ્રગટ ન કરું તો દેશને અને મારા આત્માને હું દ્રોહી બનું. જે બારડોલીના લોકો વલ્લભભાઈ માને છે એવા સાચા સત્યાગ્રહી હોય તે સરકાર ગમે તેટલાં શસ્ત્ર ધરાવતી હોય તે પણ બધું કુશળ જ છે. જોઈએ છીએ શું થાય છે. માત્ર સમાધાનીમાં રસ લેનારા ધારાસભાના સભ્યને અને બીજાઓને મારી વિનંતિ છે કે બારડેલીના લોકોને બચાવવાની આશામાં તેમણે એક ભૂલભરેલું પગલું ન ભરવું. જેને રામ રાખે તેને કોઈ વાંકે વાળ કરી શકવાનું નથી.” જરા વધારે ધીરજ રાખત અને જરા વધારે હિંમત બતાવત તો ધારાસભાના સભ્યો ચૂપ બેસી રહી જે થવાનું હોત તે થવા દેત. ઉપર અમે જણાવ્યો છે તે ઉપરાંત તેમણે કશો જ જવાબ ગવર્નરને ન આપ્યો હોત તો આકાશ તૂટી પડવાનું નહોતું. ખરી • વાત તો એ છે કે સરકાર જ સમાધાનીને માટે આતુર હતી અને પગલાં લઈ રહી હતી. ગવર્નરના ભાષણ. પછી તુરત જ શ્રી. રામચંદ્ર ભટ્ટ નામના મોતાના રહીશ અને મુંબઈના વેપારીએ ૨૪૫
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy