SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ મું વિકરાળ કાલિકા આ બરૂ ન ગણાય. સરકારની શરતોનો એટલો જ અર્થ છે કે વધારેલું મહેસૂલ ભરવાનું ના પાડીને લોકેએ અપરાધ કર્યો છે. હવેથી તેઓ એ અપરાધ કરતા અટકે, અને જે વધારે બેટી રીતે આંકવામાં આવેલ હોવાનું તેઓ કહે છે તે વધારાની રકમ તેઓ અનામત મૂકે, તે સરકાર વ્યક્તિગત દાખલા ફરી તપાસવાની મહેરબાની કરે. નેતા થવાને લાયક કોઈ પણ વ્યક્તિ આવી શરતે સ્વીકારી શકે નહિ. લેકેએ અપરાધ કર્યો છે એવી તેની ખાતરી થવાને બદલે તેની ઊંડી ખાતરી તે એવી થયેલી છે કે લોકેનો પક્ષ સાચે છે અને સરકારને પક્ષ તદ્દન ખોટો છે. પણ શ્રી. વલ્લભભાઈ સરકારની પેઠે અશક્ય શરતો રજૂ કરતા નથી. સરકારે ભૂલ કરી છે એવું સરકાર પાસે સ્વીકારાવી લેવાની માગણી પણ તે નથી કરતા. તેમની માગણી તો એટલી જ છે કે આ લડતમાં કેણ સાચું છે ને કે ખાટું છે એની તપાસ સરકારે પોતે નિમેલી સમિતિ દ્વારા થાય. માત્ર એ સમિતિમાં લોકોનું વાજબી પ્રતિનિધિત્વ હેય. અને આમ થાય તો તેમની બીજી શરત એ છે કે આવી નિષ્પક્ષ તપાસસમિતિ નિમાવાનું જે સ્વાભાવિક અને સીધું પરિણામ હોવું જોઈએ કે લડત પહેલાં જે સ્થિતિ હતી તે કરી દેવી એ વસ્તુ સરકારે સ્વીકારવી જ જોઈએ. હું તો એમ પણ સૂચવવા માગું છું કે આથી જે જરા પણ થોડું તે માટે અથવા સ્વીકારે તો તેમણે ભારે વિશ્વાસભંગ કર્યો ગણાય. આબરૂભર્યું સમાધાન કરવાની તેમની તત્પરતા અને ન્યાયપરતા તેમની પાસે આટલી ઓછામાં ઓછી માગણી કરાવે છે. નહિ તે જમીન મહેસૂલની સરકારની આખી નીતિનો પ્રશ્ન. તેઓ ઉપાડી શકે છે, અને પોતાના કાંઈ પણ દેશ વિના છેલ્લા ચારચાર, માસ થયા લાકે જે સિતમ વેઠી રહ્યા છે તેને માટે નુકસાની પણ માગી શકે છે. સરકારની આગળ બે જ માર્ગ પડેલા છે – આખા દેશના લોકમતને માન આપી શ્રી. વલ્લભભાઈની માગણી સ્વીકારે, અથવા પોતાની જૂઠી પ્રતિષ્ઠા ઊંચી રાખવા દમનનીતિના દોર છૂટા મૂકે. હજી વખત વહી ગયે નથી. હું તો સરકારને સત્યને માર્ગ સ્વીકારવાની વિનંતિ કરું છું.”
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy