SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ * પ્રકરણ બારડોલી સત્યાગ્રહને ઈતિહાસ ખુલ્લી અને સ્વતંત્ર તપાસ” ને “પ્રગટ થયેલા જાહેરનામામાં જેની રૂપરેખા આપી છે' એવું વિશેષણવાક્ય લગાડવામાં આવે છે તે સંબંધમાં લોકોને હું ચેતવું છું. એ વાક્ય બહુ ભંયકર છે, કારણું સૂરતની યાદીમાં ‘સંપૂર્ણ ખુલ્લી અને સ્વતંત્ર તપાસનું વચન નથી પણ તપાસની એક મશ્કરીને જ ઉલ્લેખ છે. સૂરતની યાદીમાં તે બહુ જ મર્યાદિત તપાસનો વિચાર દર્શાવેલો છે. ન્યાયખાતાના અમલદારની મદદથી રેવન્યુ અમલદાર સરવાળાબાદબાકીની અને હકીક્તની ભૂલો તપાસે એ “સંપૂર્ણ, ખુલ્લી. અને સ્વતંત્ર તપાસથી એક જુદી જ વસ્તુ છે. એટલે હું આશા રાખું છું કે ગવર્નરે પોતાના ભાષણમાં આપેલી ધમકીઓથી અસ્વસ્થ થયા વિના લોકમત મેં દર્શાવેલા માત્ર એક જ મુદ્દા ઉપર એકાગ્ર રહેશે.” - આ લખાણમાંથી સત્યાગ્રહના અભ્યાસીને તો એ શીખવાનું * મળે છે કે આકરી ઉશ્કેરણીને પ્રસંગે પણ સત્યાગ્રહીને પિતાના મગજનું સમતોલપણું ગુમાવવું ન પોસાય. તે પ્રયત્નપૂર્વક કડક અને ઉશ્કેરનારી ભાષાનો ત્યાગ કરે છે, અને પિતાના વિરોધીની ડરામણું ભાષાનું અનુકરણ નથી કરતા. ગવર્નરના ભાષણની સહેજ જ અગાઉ ગાંધીજીએ “યંગ ઇડિયામાં સરકારને જે વિનવણી કરી હતી તે પણ સત્યાગ્રહના અભ્યાસી માટે એટલી જ મનનીય છે: ..“ભરેસાદાર વાતો ઉપરથી માલમ પડે છે કે ખાનગીમાં જે શરતે સરકાર તરફથી આપવામાં આવી છે તેના કરતાં પણ સૂરત મુકામે ગવર્નરસાહેબે ઓછાની વાત કરી છે. શ્રી. વલ્લભભાઈ પટેલે તે પોતાની શરતે પહેલેથી નકકી કરી રાખેલી છે, અને સરકારને અનેક રીતે તે જણાવવામાં પણ આવી છે. આબરૂભર્યા સમાધાનમાં સાધારણ રીતે હમેશાં જે માગવામાં આવે છે તેથી વિશેષ કશું તેમણે માગ્યું નથી. એટલું તે સહુ સ્વીકારે છે અને અણધાર્યા સ્થળોએ પણ એ સ્વીકારવામાં આવ્યું છે કે બારડેલી અને વાલોડના ખેડૂતોએ પોતાના સિદ્ધાન્તની ખાતર બહુ વેઠવું છે. સરકાર જે તપાસ આપવા માગે છે તેને અર્થ એવો થાય છે કે એક સામાન્ય રેવન્યુ અમલદાર વ્યક્તિગત દાખલા તપાસે, અને તેમાં ભૂલ થઈ હોય તે સુધારે. પણ લોકેએ આવી તપાસ માટે સત્યાગ્રહ નથી માંડ્યો. વળી બેટી રીતે ખાલસા થયેલી પોતાની કીમતી જમીન લેકે જતી કરે એવું પણ તેમને વિષે ન જ મનાય. વળી પિતાને માટે જેમને બેટી રીતે દુઃખો વેઠવાં પડ્યાં છે તેમને તેઓ અંતરિયાળ છેડે એમાં પણ તેમની ૨૪૦
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy