SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯મુ વિકરાળ કાળિકા ચળવળને ચગદી નાંખવા પડકાર કરી શકતા હતા. પણ પેાતાની -શક્તિનું જેટલું તેમને જ્ઞાન હતું તેટલી જ તેમનામાં નમ્રતા હતી એટલે તેમણે તે છાપાંજોગી એક ટૂંકી યાદી જ બહાર પાડી. તેમાં પેાતાની માગણી કરી સ્પષ્ટ કરીને તેમણે સતેષ માન્યા, અને લેાકાને ચેતવણી આપી કે પેાકળ શબ્દોથી કાઈ એ દારવાઈ ન જવું, અથવા ભાષણમાંની ધમકીઓથી અસ્વસ્થ ન થવું. યાદીમાં તેમણે જણાવ્યું : . " “મારે કબૂલ કરવું જોઈએ કે નામદાર ગવનરના ધમકીભરેલા આવા ભાષણની મે અપેક્ષા નહોતી રાખી. પણ એ ધમકીને બાજુએ રાખીને એ ભાષણમાં જાણ્યું કે અણ્યે જે ગાઢાળા ઉત્પન્ન કરવાના ઇરાદા જણાય છે તે હું દૂર કરવા માગું છું. ગવનરસાહેબના કહેવાને( સાર એ છે કે જો લડતના હેતુ સવિનય ભંગ હોય તેા સરકાર પાસે જેટલું ખળ છે તેટલા અળથી પાતે તેને મુકાબલેા કરવા ઇચ્છે છે. પરંતુ જો પ્રશ્ન માત્ર નવી આકારણીના ન્યાયીપણા કે અન્યાયીપણાને હોય તે ' પૂરું મહેસૂલ સરકારને ભરી દેવામાં આવે અને ચાલુ લડત બંધ થાય ત્યારપછી આખા કેસની તે પેાતાના જાહેરનામામાં જેની રૂપરેખા આપી છે એવી સંપૂર્ણ, ખુલ્લી અને સ્વતંત્ર તપાસ કરાવવા તૈયાર છે. ' હું એ દર્શાવવા ઇચ્છું છું કે લડતના હેતુ વિનય ભગ કરવાના નહોતા અને નથી જ. હું જાણું છું ફ્રે સવિનય ભંગના કાયદેસરપણા વિષે તથા ડહાપણ વિષે અધા પક્ષના એક અભિપ્રાય નથી. એ બાબત મારા પેાતાના અભિપ્રાય દૃઢ છે. પરંતુ · બારડોલીના - લોકો સવિનય ભંગ કરવાના હક સ્થાપિત કરવાની લડત લડતા નથી. તે તે। સવિનય ભંગની રીતે—અથવા તેઓએ સ્વીકારેલી રીતને જે નામ આપવામાં આવે તે રીતે—પાતા ઉપર થયેલા મહેસૂલના વધારા સરકાર પાસે રદ કરાવવા, અથવા થયેલા વધારા ખાટી રીતે થયેલા સરકારને ન લાગતા હોય તેા સત્ય શેાધી કાઢવા માટે નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ કરાવવા માટે લડે છે. એટલે પ્રશ્ન તા કેવળ નવી આકારણીના ન્યાયીપણાના કે અન્યાયીપણાનો જ છે. અને સરકાર જો એ - પ્રશ્નની સંપૂર્ણ, ખુલ્લી અને સ્વતંત્ર તપાસ' કરવા માગતી હોય તે તેએ પેાતે જ જે વસ્તુ સ્વીકારે છે તેનું તેમાંથી સ્પષ્ટ રીતે ફલિત થતું પરિણામ તેઓએ સ્વીકારવું જ જોઈએ. એટલે કે જે વધાસ માટે તકરાર છે તે ભરાવી દેવાના આગ્રહ ન રાખવા જોઈએ અને લડત શરૂ થઈ તે પહેલાં જે સ્થિતિ હતી તે સ્થિતિમાં લેાકાને મૂકવા જોઈએ. વળી ‘સંપૂર્ણ, ૨૩૯
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy