________________
“ડેલી સત્યાગ્રહને ઇતિહાસ
પ્રકરણ - સવિનય ભંગના પ્રશ્ન ઉપર બેલતાં નામદાર ગવર્નરને પિતાના “ ભૂતકાળનું વિસ્મરણું થયું. પાંચ વરસ પહેલાં બોરસદના સત્યાગ્રહ વખતે તેમણે પોતાના હોમ મેમ્બરને એ કાયદાવિરુદ્ધની ચળવળ ઉખેડી નાંખવાને હુકમ નહતું આપે, પણ ત્યાંની પરિસ્થિતિ તપાસવા જણાવ્યું હતું. અને એ હોમ મેમ્બરની તપાસને પરિણામે જ તેમણે કબૂલ કર્યું હતુંઃ “વાર્ષિક રૂ.૨,૪૦,૦૦૦ને. વિશેષ ધારો લોકો ઉપર નાંખવામાં આવ્યો હતો તે રદ કરવાને કેસ સાબિત થાય છે.” પિતાના આ શોભાભર્યા કાર્યથી જે રાજનીતિકુશળતા પોતે દર્શાવી હતી તે તેઓ સાહેબ આ વખતે ' ભૂલી ગયા. પણ એ સંભવિત છે કે પાંચ વર્ષ પૂર્વે પિતે.
પરિસ્થિતિના સ્વામી હતા, જ્યારે વર્તમાન બારીક પ્રસંગે પિતાના વહાઈટહોલના માલિકના બોલાવ્યા તેઓ બોલતા હોય, કારણ તે જ દિવસે આમની સભામાં ઉચ્ચારેલું લૉર્ડ વિન્ટટનનું ભાષણ રેઈટરના તાર સમાચારથી પ્રસિદ્ધ થયું તેમાં સર લેસ્લીના " ભાષણને પ્રેરનાર કોણ હતો તે ઉઘાડું પડતું હતું?
મુંબઈની ધારાસભામાં આજે બારડેલીના સંબંધમાં જે શરતે સંરે લેસ્લી વિલ્સને રજૂ કરી છે તેનું પાલન નહિ થાય તે કાયદો અમલમાં મૂકવા માટે અને ત્યાંની ચળવળને ચગદી નાંખવા માટે મુંબઈ સરકારને હિંદની સરકારનો પૂરેપૂરા ટેકે છે. કારણ એ શરતે ન સ્વીકારાય તે એ ચળવળને એટલો જ અર્થ થાય કે તે સરકારને દબાવવા માટે ચલાવવામાં આવી છે, નહિ કે લોકેના વાજબી દુઃખની દાદ મેળવવા માટે.”
આ ધગધગતા અંગારમાં અહિંસક ચળવળની સફળતાથી -અંગ્રેજ લોકોના દિલમાં કેટલો ક્રોધ વ્યાપે હતો તેનું માપ દેખાતું હતું. શ્રી. વલ્લભભાઈને તો પિતાની જાતને અભિનંદન આપવા માટે પૂરતું કારણ હતું કે જે ૮૦,૦૦૦ માણસોનું નેતૃત્વ પોતે . સ્વીકાર્યું હતું તેમના તરફથી એક પણ હિંસાનું કૃત્ય થયા વિના સરકારને પિતાનું ખરું સ્વરૂપે પ્રગટ કરી દેવાની તેમણે ફરજ પાડી. ધમકીથી ભરેલાં આ ભાષણોના જવાબમાં તેમના જેટલું જ અંગાર વર્ષનું આહવાન તેઓ બહાર પાડી શકતા હતા, અને સરકારને જે ફાવે તે કરી નાંખવા અને મકદૂર હોય તે આ
૨૩૮