SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ મું . વિકરાળ મલિક અન્યાયી તે સરકાર તરફથી બહાર પડેલી યાદીમાં જણુંવ્યા પ્રમાણે આખા કેસની સંપૂર્ણ, ખુલ્લી અને સ્વતંત્ર તપાસ કરવા સરકાર તૈયાર છે” “પણ સરકારનું માગતું આખું મહેસૂલ ભરાઈ જવું જોઈએ અને ઉપાડેલી લડત પૂરેપૂરી બંધ થઈ જવી જોઈએ, ત્યારપછી જ એ બને.” આ પ્રમાણે પિતાની શરત પ્રગટ કરીને ધારાસભાના જે સભ્યો બારડોલીના લોકોના પ્રતિનિધિઓ હતા તેમને તેઓ સાહેબે આ પ્રમાણે ડરામણું દેખાડયું: “પરંતુ એટલું સ્પષ્ટ કરવાની મારી ફરજ છે કે જે આ શરતોને સ્વીકાર નહિ થાય અને તેને પરિણામે સમાધાની નહિ થાય તે કાયદાનો સંપૂર્ણ અમલ કરવા માટે પિતાને જે ઈષ્ટ અને આવશ્યક જણાશે તે પગલાં સરકાર લેશે, અને સરકારની કાયદેસરની સત્તાનું સર્વ રીતે પાલન થયેલું જોવા માટે પોતાના તમામ બળને તે ઉપયોગ કરશે.” ત્યારપછી સવિનય ભંગના ગેરકાયદેપણ વિષે થોડાંક સર્વવિદિત વચનો તેઓએ ઉચ્ચાર્યો, અને રખેને પિતાની ધમકીન અને થાય અને તેને સમાધાનીના આધારરૂપ ગણી લેવામાં આવે એટલા ખાતર તેમણે પાછું સાફ જણાવ્યું ': “ સરકારના એકસ અને છેવટના નિર્ણય તરીકે આ વસ્તુઓ મૂકવામાં આવી છે. સરકારે ચાકસ શરતે આપી છે અને કેઈપણ જાતની ફરી તપાસનું વચન આપવામાં આવે તે પહેલાં એ શરતોનું પાલન થવું જ જોઈએ. એ શરતમાં કશે. ફેરફાર થઈ શકે એમ નથી.” ગવર્નરસાહેબ જાણતા હતા કે સત્યાગ્રહીઓ તો બધી ધમકીને. ઘોળીને પી ગયા હતા, સરકારનો કેધ કરવાનો ઇજારો છે એમ કહીને સરકારના કેપને પણ તેઓ હસી કાઢતા હતા, એટલે તેમણે આ ડરામણી ધારાસભાના સૂરતના સભ્યોને ઉદ્દેશીને પાકારીઃ - “આ વસ્તુ સાથે સંબંધ ધરાવતા હોય તે સભ્યને હું કહું છું કે તેમણે આજથી ચૌદ દિવસની અંદર રેવન્યુ મેમ્બરને પોતાનો જવાબ આપી દે કે તેઓ પોતાના મતદારેના તરફથી ઉપર કહેલી શરતોનું પાલન કરવાને તૈયાર છે કે નહિ, કારણ તપાસ જાહેર થાય તે પહેલાં આ શરતનું પાલન. થવું જ જોઈશે.” * . . . . . . ૨૩૭ .
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy