SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ આરડોલી સત્યાગ્રહનો ઇતિહાસ પ્રકરણ કરવા પાતે તૈયાર છે એ વસ્તુ શ્રી. વલ્લભભાઈ એ વળી પાછી એ કાગળમાં સ્પષ્ટ કરી. સુરતની મસલતના પછી પણ દરેકે દરેક પક્ષને લાકમત તેમજ લગભગ આખા હિંદુસ્તાનનાં હિંદી તેમ જ ઍંગ્લો-ઈંડિયન વમાનપત્ર! સત્યાગ્રહીએના પક્ષમાં હતાં તેમ જ રહ્યાં. આખી લડત દરમ્યાન ટાઇમ્સ ? ઇંડિયા' સિવાયનાં બધાં જ મુંબઈનાં વમાનપત્રા સત્યાગ્રહીઓની તરફેણમાં હતાં. ‘ લીડરે ’ સરકારની શરતાને ‘ખારડાલીના ખેડૂતાને નામેાશીથી નમી જવાની માગણી ’ તરીકે વર્ણવી; ન્યુ ઇંડિયા 'એ સૂચવ્યું, કે -અર્કનહેડ જો પેાતાની હઠ પકડી રાખે અને પેાતાની આડાઈ ચાલુ રાખે તેા તેને ઠેકાણે લાવવા પામેટમાં ચળવળ કરવી; ‘હિંદુ’ પત્ર લખ્યું કે ના. ગવર્નરે સમાધાન કરવાની બહુ ઉત્તમ તક ફેકી દીધી, અને પાયેાનિયરે' તે ‘સરકારની શરતાને ધાડા આગળ ગાડી મૂકવા ઊંધી જેવી કહી. : પણ એક અવાજે પ્રગટ થયેલા આ લાકમતથી જરાય -અસ્વસ્થ થયા વિના સર લેસ્લી કાયદા અને બધારણાનેા વાવટા ઊંચા રાખવાના પોતાના કાર્યમાં મંડયા રહ્યા. નામનાના ભૂતને વળગતાં તેમના હાથમાં નામેાશી રહી જતી હતી તે વાતનું તેમને ભાન કરાવનાર કાઈ રહ્યું નહેતું. તેમને ચઢાવનારાઓને ટા નહોતા. ૨૩ મી જુલાઈએ ધારાસભા ખુલ્લી મૂકતાં તેઓએ જ્વાળામુખીના ઉકળતા રસ જેવું ધગધગતું ' ભાષણ કર્યું, તેમાં એ તારીખથી ૧૪ દિવસની અંદર, સૂરત જિલ્લાના પ્રતિનિધિએ સરકારે આપેલી શરતા નહિ સ્વીકારે તે પરિણામેા બહુ ભયંકર આવશે એવી ધમકી આપી. · મુદ્દાને વધુ સ્પષ્ટ કરવા જતાં તેમણે મુદ્દો ગૂંચવ્યા. તેમણે કહ્યું કે બારડેલીમાં થયેલી નવી આકારણીના ન્યાયીપણા કે અન્યાયીપણાના મુદ્દો હાવાને બદલે, જો મુદ્દો એ હશે કે ' શહેનશાહના સામ્રાજ્યના અમુક ભાગમાં શહેનશાહના હુકમ ચાલે કે નહિ, ' તે સરકાર પાસે જેટલું ખળ છે તે અળથી ' એ મુદ્દાને પહેાંચી વળવા સરકાર તૈયાર છે. પરંતુ જો એટલેા જ પ્રશ્ન તપાસવાનેા હાય કે નવી આકારણી : ન્યાયી છે કે ૨૩૬ . '
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy