SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ મું 'વિકરાળ કાળિકા. આગ્રહ કરવાની ફરજ કાયદે સરકારને ક્યાં પાડે છે તે હું તો જોઈ શકતું જ નથી.” તેમણે એમ પણ જણાવ્યું: “જમીનમહેસૂલના કાયદાના તદ્દન એકતરફી અને જરીપુરાણું સ્વરૂપને લગતો વિશાળ અને વધુ મહત્વને પ્રશ્ન લોક છેડી શકતા હતા, અને જે તેમણે તેમ કરવા ઇચ્છગ્યું હોત તો તેમ કરવાને તેમને સંપૂર્ણ હક હતો, પણ તેમણે તે પ્રશ્નને છેવો જ નથી. મને તો માત્ર કાયદાની મર્યાદાની અંદર ન્યાય મેળવવામાં તેમને મદદ કરવાનું કામ તેમણે સેપ્યું છે.” જે તપાસસમિતિ નીમવાનું કબૂલ કરવામાં આવે તો તેમાં આટલી વસ્તુઓ થવી જ જોઈએ એમ શ્રી. વલ્લભભાઈએ જણાવ્યુંઃ ૧. સત્યાગ્રહી કેદીઓ છૂટવા જોઈએ. ૨. ખાલસા જમીન (પછી તે વેચાઈ ગઈ હોય કે માત્ર. સરકારમાં દાખલ થઈ હોય) બધી તેના ખરા માલિકોને પાછી મળવી જોઈએ. ૩. ભેંસ, દારૂ, વગેરે જે જંગમ મિલકત લોકોની ફરિયાદ પ્રમાણે હસવા જેવી કિંમતે વેચી નાંખવામાં આવી હોય તેની બજારકિંમત તેના માલિકોને મળવી જોઈએ. ૪. બરતરફી તેમજ બીજી જે કાંઈ સજા આ લડતને અંગે. કરવામાં આવી હોય તે પાછી ખેંચી લેવાવી જોઈએ. તપાસની બાબતમાં પણ કશી ગેરસમજ ન રહે એ ખાતર શ્રી. વલ્લભભાઈએ સ્પષ્ટ કર્યું કે સરકારી અમલદારોની તપાસ સમિતિથી પણ પિતાને સંતોષ થશે, માત્ર એ તપાસ ખુલ્લી,. નિષ્પક્ષ અને ન્યાયની અદાલતમાં થાય છે એવા સ્વરૂપની હોવી જોઈએ, અને એ તપાસસમિતિ આગળ લોકોને પિતાની ઈચ્છા હોય તે વકીલ મારફત પોતાને કેસ રજૂ કરવાની છૂટ હોવી જોઈએ. આમ કહીને શ્રી. વલ્લભભાઈએ સરકારને નિશ્ચિંત પણ કરી, અને સરકારને કશું કહેવાનો માર્ગ ન રાખ્યો. વળી, સરકારને સતાવવાની અથવા હલકી પાડવાની પોતાની જરા પણ ઇચ્છા નથી એ વસ્તુ તથા સરકારને અને પ્રજાને. બન્નેને માટે આબરૂભર્યું સમાધાન લાવવાનો એકેએક માર્ગ ગ્રહણ ૨૩૫
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy