________________
૩જું
બારડોલીમાં શું બન્યું?– સરકારપક્ષ તપાસ કરી તેના રદિયા તૈયાર કરવાને માટે એક કમિટી નીમી. તેના પ્રમુખ ભાઈ નરહરિ પરીખ હતા. કમિટીએ રિપોર્ટની નકલની ગમે એટલી કિંમત આપવાનું કહ્યું, પણ ભાઈ નરહરિને તાલુકા કચેરીમાં જઈને રિપિટ વાંચવો હોય તે વાંચી જવો અને તેમાંથી ઉતારા કરવા હોય તે કરવા એમ કહેવામાં આવ્યું. આ . પ્રમાણે ઉતારા લઈ રિપોર્ટને અભ્યાસ કરી, કમિટી તાલુકામાં ફરી વળી અને સેટલમેન્ટ ઓફિસરે જણાવેલી હકીકતોને બેટી પાડનારો પુરાવો ભંગ કર્યો, અને ભાઈ નરહરિ પરીખે ‘નવજીવન’માં એક લેખમાળા લખીને રિપોર્ટની વિરતીર્ણ સમાલોચના કરી. ગુજરાત મહાવિદ્યાલયના અધ્યાપક શ્રી. મલકાનીએ “યંગ ઇડિયામાં એવા જ કેટલાક લેખ લખ્યા. - આટલું કરીને બેસી ન રહેતાં બારડોલીના ખેડૂતોએ ૧૯૨૭ના જાન્યુઆરી મહિનામાં એક પરિષદ ભરી અને રા.બ. ભીમભાઈ નાયક અને શ્રી. શિવદાસાનીની આગેવાની નીચે સરકારને એક ડેપ્યુટેશન મોકલવાનો ઠરાવ કર્યો. ૧૯૨૭ના માર્ચ મહિનામાં આ સભ્ય કેટલાક ખેડૂતોને લઈને રેવન્યુ મેમ્બર મિ. રૂને મળ્યા. મિ. રૂએ તેમને ગયા હતા તેવા જ વિદાય કર્યા. એ જ વરસના મે માસમાં રા. બ. ભીમભાઈ નાયકે સેટલમેન્ટ ઓફિસરના રિપોર્ટનો વિગતવાર જવાબ અપનારી એક લાંબી અરજ સરકારને મોકલી. તે પણ દફતરે નંખાઈ ૧૯૨૭ના જુલાઈ મહિનામાં સરકારે એક ઠરાવ બહાર પાડ્યો. તેમાં તેમણે સેટલમેન્ટ કમિશનરની સૂચના પ્રમાણે ગામડાંનું નવું વર્ગીકરણ બહાલ રાખ્યું અને સેટલમેન્ટ અમલદારની માલના વધેલા ભાવની દલીલ સ્વીકારી અને સેટલમેન્ટ કમિશનરના સૂચવેલા ૨૯. ટકાના વધારાને બદલે અને સેટલમેન્ટ ઓફિસરે સૂચવેલા ૩૦ ટકા વધારાને બદલે ૨૨ ટકા વધારે સૂચવ્યું. ૨૨ ટકા વધારો સૂચવવાનું કારણ સરકારે એ જણાવ્યું કે રૂના ભાવમાં ભવિષ્યમાં થનારો ઘટાડે ધ્યાનમાં લેવામાં આવ્યો છે
- અત્યાર સુધી જેમણે જેમણે આ વધારા સામે વાંધો ઉઠાવ્યા હતા તેમની પાસે શ્રી. જયકરને રિપોર્ટ જ હતું, મિ. ઍડર્સનના