________________
બારડેલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ ૨. વસ્તીમાં ૩,૮૦૦ નો વધારો થયો છે.
૩. ખેતીવાડીનાં સાધને, ગાડાં અને દૂઝણાં ઢોરમાં વધારો થયો છે.
૪. પહેલા “રિવિઝન ” પછી અનેક પાકાં મકાનો વધ્યાં છે, જે ઉપરથી લોકોની સમૃદ્ધિનું માપ મળે છે.
૫. કાળીપરજ લોકોમાં કેળવણી અને દારૂનિષેધથી તેમની સ્થિતિમાં સુધારો થયો છે.
૬. અનાજ અને કપાસના ભાવમાં અસાધારણ ઉછાળે થયો છે.
૭. ખેતીની મજૂરી બમણું વધી ગઈ છે.
૮. જમીનની કિંમતમાં વધારો જ થતું જાય છે, અને ગણતના પ્રમાણમાં જમીનના આકારમાં ઘટાડો થતો જાય છે.
પણ ૩૦ ટકાનો વધારો સૂચવવામાં જે કારણ શ્રી. જયકરને - વધારેમાં વધારે મહત્ત્વનું લાગ્યું તે તો એ હતું કે ૩૦ વરસ ઉપર
જમીનમાંથી ઉત્પન્ન થતા પાકની કિંમતમાં ઊંચા ભાવને લીધે સને (૧૯૨૪ માં રૂ. ૧૫,૦૮,૦૭૭નો વધારે થયો છે.
આ રિપોર્ટ ૧૯૨૬ ની શરૂઆતમાં પ્રસિદ્ધ થયો. “પ્રસિદ્ધ થયે” કહેવામાં મારી ભૂલ થાય છે. આ રિપોર્ટે પ્રસિદ્ધ થતા જ નથી. એક અગાઉના સિસ્ટન્ટ કલેકટર શ્રી. શિવદાસાનીએ ૧૯૨૮ના માર્ચ મહિનામાં ધારાસભામાં કરેલા પિતાના ભાષણમાં જણાવ્યું હતું તેમઃ “સેટલમેન્ટ ઑફિસરના રિપોર્ટની નકલો લોકોમાં જોઈએ એટલી પ્રસિદ્ધ જ થતી નથી. તાલુકા કચેરીમાં એક નકલ રાખવામાં આવે છે, અને ખેડૂતો તે વાંચી લેશે અને તેના ઉપર પિતાના વાંધાઓ મોકલી આપશે એમ માની લેવામાં આવે છે. . . . આ રિપોર્ટ ઘણીવાર તો અંગ્રેજીમાં જ હેય છે. . . . અરે, એકવાર તો મને એવી ખબર મળી હતી કે કેટલાક તાલુકાઓમાં મામલતદારે લોકોને નકલ પણ લેવા દીધી નહોતી.” બારડોલી રિપોર્ટ પણ આ જ અર્થમાં પ્રસિદ્ધ થય હતું, એટલે કે તાલુકા કચેરીમાં જઈને જેને એ જે હોય તે જોઈ આવે. બારડોલી તાલુકાની સમિતિએ આ રિપોર્ટની.