SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ બારડેલી સત્યાગ્રહનો ઇતિહાસ પ્રકરણ રિપેર્ટની નકલો તો છેક ૧૯૨૮ના માર્ચ મહિના સુધી પ્રસિદ્ધ થઈ જ નહોતી. આ રિપોર્ટ જ્યારે સરકાર પાસે કઢાવવામાં આવ્યો ત્યારે ખબર પડી કે શા કારણે સરકારે એ જાણીબૂજીને દાબી રાખ્યો હશે. આપણે જોઈ ગયા છીએ કે શ્રી. જયકરે પિતાને રિપોર્ટ મિ. ઍડર્સનને જેવાને માટે મોકલ્યો હતો અને તેને તેમણે લગભગ આખો ફરી લખી કાઢયો હતો. છતાં પણ એ રિપોર્ટના.. ઉપર મિ. ઍડર્સને ધરાઈને ટીકા કરી, અને તે રિપોર્ટના મુખ્ય. ભાગના ટુકડેટુકડા કરી નાંખ્યા. આ રહ્યા મિ. ઍડર્સનના સપાટાઃ “શ્રી. જ્યારે મહેસૂલવધારાને માટે જે સૂચના કરી છે તે ઉપર આવીએ. હું દિલગીર છું કે એમણે જમીનના પાકની કિંમત કેટલી વધતી જાય છે એના ઉપર જ બધો આધાર રાખે છે. તાલુકાની સામાન્ય સ્થિતિને સાર આપતાં પ૭ મા ફકરામાં પણ જમીનની કિંમત અને ગણતમાં થયેલા વધારાને માત્ર એક જ દાખલો આપે છે, અને કહે છે કે ભાવે એટલા બધા વધી ગયા છે કે ગણોતના પ્રમાણમાં આકારણી બહુ ઓછી થઈ છે. આને માટે કશે પાયે નથી, અને પાયા વિના ઈમારત શી રીતે ચણાય? આવા સેટલમેંટ રિપોર્ટ ઘડાતા હશે ? આ પછી બે ફકરા ખાસા એ સિદ્ધ કરવાને માટે એમણે ભર્યા છે કે સરકાર જે પૈસાને બદલે પાક લઈને જ મહેસૂલ ઉઘરાવતી હોત તે મહેસૂલની રકમ કેટલી બધી વધી જાત – જાણે આમાં કાંઈ નવું કહેવાનું હોય ના! તે જણાવે છે કે તાલુકાની કુલ ઉત્પન્નમાં લગભગ ૧૫ લાખ જેટલું વધારે થાય છે, અને એ જણાવ્યા પછી તેમની બુદ્ધિમાં ઉદય થતા જણાય છે કે એમ કહેવાને કશે અર્થ નથી, કારણ એવી રીતે ખેતીનું ખર્ચ પણ ૧૫ લાખ વધ્યું હોય તો વધારે મહેસૂલ લેવાનો કઈ આધાર રહેતો નથી. વારુ, પણ ખેતીનું ખર્ચ ૧૫ નહિ પણ ૧૭ લાખ વધ્યું હોત તો તે મહેસૂલ ઓછું કરવું જોઈએ, વધારવાની તો વાત જ બાજુએ રહી ! હવે શ્રી. જયકર કેવી રીતે બતાવી શકશે કે ખેતીના ઉત્પન્નમાં જે વધારે થયે છે તેના કરતાં ખેતીના ખર્ચમાં ઘટાડો થયે છે કે વધારે થયા છે. આને વિષે તે માત્ર તેઓ એક લીટી લખે છે: “આ વાત પણ ધ્યાનમાં લેવી જોઇએ ખરી.” આમ તેઓ કિલ્લાને મુખ્ય દરવાજે જ ખુ રાખે છે. એટલે કોઈને હુમલો કર્યો હોય તે ઘડીકમાં તેના કાચા કિલા ઉપર તૂટી પડી તેને તોડી પાડી શકે એમ છે, કારણ ખેતી ખર્ચ ખેતીના ઉત્પન્ન કરતાં વધ્યું છે એમ કઈ બતાવી દે એટલે શ્રી. જયકર પાસે કશે ૨૦
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy