SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ આરડોલી સત્યાગ્રહનો ઇતિહાસ પ્રકરણ બહુ ભારે થઈ જતા અટકાવવા ખાતર નહિ, પણ વધારા કરવા માટે જ તેણે આ આંકડાને ઉપયાગ કર્યો છે. ઉપરના નિર્ણય ઉપર પાતે આવેલા હેાવાથી શ્રી. કું ઝરુ, વ અને ઠક્કર એ અભિપ્રાય ઉપર આવ્યાઃ ‘ફરી તપાસની માગણી સંપૂર્ણ રીતે ન્યાયી છે, ' અને · વીરમગામ તાલુકાની થયેલી નવી આકારણીના ફરી વિચાર કરવાનું સરકારે બહાર પાડયુ છે -એટલે બારડેાલીની આકારણીના પણ ફરી વિચાર કરવાને કૈસ જવાબ ન આપી શકાય એવા મજબૂત બને છે. ' શ્રી. વઝેએ એક વિશેષ નોંધ પણ બહાર પાડી હતી, જેમાં તેમણે ‘ બારડેાલીની વમાન લડત શુદ્ધ આર્થિક લડત અને સામુદાયિક સવિનય ભંગના એક અંગરૂપ નથી ' એ વસ્તુ ઉપર ખાસ ભાર મૂક્યા. મારી તપાસથી મને સતાષ થયેા છે કે આ પ્રવૃત્તિના સંચાલકો ખારડાલીના ખેડૂતને જે ક્રૂર અન્યાય થયેલેા તેએ સાચી રીતે માને છે તે દૂર કરવા માટે પેાતાથી અને તેટલેા પ્રયત્ન કરવા ઉપરાંત ખીજા કાઈ પણ હેતુથી આ લડત આગળ ચલાવવા પ્રેરાયેલા નથી. આ લડતમાં વ્યાપક રાજદ્વારી હેતુ બિલકુલ નથી, છતાં તેવા હેતુનું સરકાર આરેાપણ કરે છે તે અતિશય અયુક્ત અને અન્યાયી છે.' આ નિવેદને જુદાજુદા રાજદ્વારી પક્ષના નેતાઓ ઉપર બહુ અસર કરી. હિંદી વર્તમાનપત્રામાંથી ચેડાંક ઢચુપચુ હતાં તેમની પણ સહાનુભૂતિ સત્યાગ્રહીએ પ્રત્યે તથા લેાકેાની માગણીના વાજબીપણા વિષે તેમજ એછામાં એછું અમુક તે તેમને મળવું જ જોઈ એ એ વિષે વિનિત પક્ષ સુદ્ધાં બીજા મંડળોના મત સંગઠિત કરવામાં બીજી કાઈ પણ વસ્તુ કરતાં વિશેષ ફાળા આ નિવેદને આપ્યા. આ સંબંધમાં શ્રી. મણિલાલ કાઠારીએ કીધેલા તનતાડ પ્રયત્ન અહીં નેાંધવાજેવા છે. તેઓ અનેક પક્ષના નેતાઓને મળ્યા, તેમને ખારડેલીના કેસથી અને ખારડેાલીની પરિસ્થિતિથી વાકેફ કર્યાં. આનું સુંદર પરિણામ આવ્યું. એક પછી એક આ દરેક નેતાએ પેાતાના વિચાર વર્તમાનપત્રામાં પ્રસિદ્ધ કર્યાં, અને પ્રજાને એ જ સંબંધમાં વિચારતી કરી મૂકી. પિડિત મેાતીલાલ નેહરુએ ૨૨૦
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy