SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ મું નિષ્પક્ષ સાક્ષીઓ. છાપા જોગી એક લાંબી યાદી બહાર પાડી તેમાં કહ્યું “હું એમ સમજે કે મુંબઈ સરકાર ફરી તપાસ આપવા તે તૈયાર છે, પણ તપાસ આપતાં પહેલાં વધારેલું તમામ મહેસૂલ ભરાઈ જવું જોઈએ એવો આગ્રહ રાખે છે. સરકારનું આ વલણ બહુ વિચિત્ર લાગે છે. જે વધારે પ્રથમ દર્શને જ બેટ અને અન્યાયી હોય અને તેને ફરી વિચાર થવાની જરૂર હોય તો એ વધારે વસૂલ કરવાની માગણી કરવી એ તદ્દન અજુગતું અને ન્યાયવિરુદ્ધ છે.” સર અલી ઈમામે પોતાનો મત જાહેર કર્યો કે બારડોલીમાં ઊભી થયેલી ગંભીર પરિસ્થિતિનું નિરાકરણ “બન્ને પક્ષના પ્રતિનિધિઓવાળી, સમિતિ નિમાય તો જ આવી શકે.” એટલો જ અસંદિગ્ધ. અને તેની સંક્ષિપ્તતાને લીધે કદાચ વધારે અસરકારક અભિપ્રાય શ્રી. ચિંતામણિને હતો. તેમણે આખા પ્રશ્નનો વિચાર શુદ્ધ વ્યવહારદષ્ટિથી કર્યો. તેમણે કહ્યું: “જનસ્વભાવ એટલો આડે. અથવા ઊંધબુધિયે ન જ હોય કે આટલા બધા ગરીબ માણસે. આવી જબરદસ્ત સરકાર જેની મરજી એ જ કાયદે છે અને જેને કાયદે ઘણીવાર તેના અવિવેકને સભ્ય પર્યાય છે, તેની સાથે વિનાકારણ લડત ઉપાડે, જે લડતમાં તેમને લાભ કશો નથી પણ ગુમાવવાનું સર્વસ્વ છે.” તેમણે તે કહ્યું: “જેઓ પોતાની ફરિયાદના ન્યાયીપણા ખાતર આટલું ભયંકર દુઃખ વેઠવા તૈયાર થયા છે તેઓ વાજબી રીતે વધારે રદ કરવાની જ માગણી કરી. શકે, પરંતુ બારડોલીના ખેડૂતના કેસના સબળપણાનો તથા. મધ્યમસરતાને એ તે પુરાવો છે કે તેઓ મહેસૂલમાં સીધે ઘટાડે કરવાની જ માગણી કરવાને બદલે સ્વતંત્ર અને કેવળ સરકારી અમલદારોની સમિતિથી ભિન્ન એવી તટસ્થ તપાસસમિતિની જ માગણીથી સંતોષ માને છે. સરકાર આવી તપાસ આપવાની આનાકાની કરે છે તેમાં તેના પિતાના કેસનું પિકળપણું અને નબળાપણું ઉઘાડું પડે છે. તપાસ આપવામાં આવે તે પહેલાં સરકાર વધારેલું મહેસૂલ ભરી દેવાની માગણી કરે છે તે તો એક ફારસ જ છે.” પણ આથી એક ડગલું આગળ વધીને તેમણે જાહેર કર્યું કે બારડોલી સત્યાગ્રહ “કાયદેસર ચળવળ'ના અર્થની ' ૨૨૧
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy