SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ લોકશિક્ષણ રાજ્ય તદ્દન પિલું ફંકમાં ઊડી જાય એવું છે.” લોકશિક્ષક તરીકે સરદારની તુલના સહેજે લોકમાન્ય તિલકની સાથે કરવાનું મન થાય છે. તેમનાં સુપ્રસિદ્ધ અહમદનગર અને બેલગામનાં ભાષણ જેમણે વાંચ્યાં હશે તેમને સરદારનાં આ ભાષણોનું તે ભાષણો સાથે અજબ સામ્ય જણાશે. • “સરકાર શી ચીજ છે? કેઈએ તેને દેખી હોય તે બતાવોની? હું તો દેખાતો નથી, કારણું તે ભૂત જેવી છે. સરકાર એટલે શું? સરકાર એટલે મામલતદાર ? ફોજદાર કે તલાટી ? કે પટેલ ? કે વેઠિય? આ બધાની મળીને સરકાર બનેલી છે એટલે એને ક્યાં પત્તો લાગે? કઈ એક વ્યક્તિ નથી એટલે આપણે કોને સરકાર માનીએ? આપણે પિતે જ ભ્રમથી અમુક એક જણને સરકાર માનીએ છીએ અને પછી તેનાથી ડરીએ છીએ. તેથી હું તમને કહું છું કે તમારે ભ્રમમૂલક ડર કાઢી નાંખો. તમારે ડરવાનું શા માટે હોય? તમે કેઈની ચોરી કરી નથી, તમે લૂંટફાટ કરી નથી, મારામારી કરી નથી.” આ શબ્દો લોકમાન્યના કોઈ પણ ભાષણમાં મૂકી દીધા હોય તો ખબર ન પડે કે એ બીજા કોઈના ઉગારે છે. અમલદારે વિષેના તેમના બીજા ઉગારે તે “દુઃખની વખતે રૈયતની પડખે ઊભો રહે તે અમલદાર, બાકી બધા હવાલદાર” એવી અમલદારની સૂત્રરૂપ વ્યાખ્યાની ઉપર ભાષ્યરૂપ હતા. ૨. સંગઠન – બે પ્રકારનાં સંગઠન તાલુકામાં જરૂરનાં હતાં. એક તે સાહુકારો અને ગરીબો, જમીન ગણોત આપનારા અને જમીન ગણે તે લેનારા એ બે વર્ગની વચ્ચે, અને બીજું સંગઠન જમીન જાતે ખેડનારાઓ વચ્ચે, પછી તે ગમે તે જાતપાતના . હોય. આરંભમાં પહેલું સંગઠન એ વધારે આવશ્યક હતું. જમીન ન ખેડનારા અને મુકાબલે સુખી એવાને ખેડૂતને સ્વાર્થ એ જ તેમના સ્વાર્થ છે અને ખેડવાની એક પણ વધું ભેય ન હોય અને કેવળ ગણોતે ખેડતા હોય તેવાને સાહુકારને સ્વાર્થ એ પણ તેમનો સ્વાર્થ છે એ સમજાવવાનું કામ મેટું કામ હતું. સુભાગ્યે ઍડર્સનના ઊંધા આંકડા છતાં બારડોલીમાં આવો વર્ગ બહુ ઓછો હતો, જાતે ખેતી કરનારાઓની જ સંખ્યા ૯૦ ટકા થવા જાય એટલી હતી. છતાં શ્રી. વલ્લભભાઈએ લડતના આરંભના ૧૭૧
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy