________________
આરડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
દેશમાં તે! આ જાહેરનામા ઉપર સખત ટીકા થઈ, દરેક પ્રાંતનાં ઘણાખરાં વમાનપત્રે બારડોલીની ખખરાથી જ હવે ભરેલાં આવવા લાગ્યાં, અને સ્થાનેસ્થાને ખાડાલીની સહાનુભૂતિને માટે સભાઓ થવા લાગી. આ સમયે નામદાર વિઠ્ઠલભાઈ પટેલ, જેએ વડી ધારાસભાના પ્રમુખ છતાં ગુજરાત તરી ચૂંટાયેલા સભ્ય તરીકે આખી લડતના અતિશય રસથી અભ્યાસ કરી રહ્યા હતા તેમણે આખી વસ્તુસ્થિતિ નામદાર વાઇસરોયની આગળ રજૂ કરી અને વસ્તુસ્થિતિ ન સુધરે તે પેતે શું કરવા. ધારે છે તે જણાવ્યું. વાઇસરોયની સાથે ચર્ચા ચાલી રહી હતી ત્યાં તે। તેમણે સરકારનું ઉપર વર્ણવેલું જાહેરનામું છાપાંમાં જોયું, અને તરત જ તેમણે ગાંધીજીને એક પત્ર લખ્યા જે લડતના ઇતિહાસમાં એક ઉજ્જ્વળ પ્રકરણ પૂરું પાડે છે. પત્રની સાથે તેમણે ૧,૦૦૦ રૂપિયાના ચેક મેકલ્યા, અને લડત ચાલે ત્યાં સુધી ` સહાનુભૂતિ તરીકે દરમાસે એટલી રકમ મેાકલવાનું વચન આપ્યું. વડી ધારાસભાના પ્રમુખસ્થાને રહીને રાજકીય જેવી અને સરકારની સામે ખંડ તરીકે વગેાવાયેલી લડતને માટે તેઓ આવી સક્રિય સહાનુભૂતિ દાખવે એ ઘણાને સાનંદાશ્ચય પમાડનારી વાત થઈ પડી. કેટલાક ગણ્યાગાંઠ્યાને એ વાત ખૂંચી પણ ખરી કારણ તેમની સ્થિતિ કઢંગી થતી હતી, પણ દેશમાં તે ના. વિઠ્ઠલભાઈ ને પત્ર ગવાઈ રહ્યા, અને જેમનાથી તેમના સુકૃત્યને લાભ લેવાય અને યત્કિંચિત્ અનુકરણ થઈ શકે તેમણે તે પ્રમાણે. કર્યું. સરકારની સ્થિતિ આ પત્રથી કેટલી કઢંગી થઈ પડી તે તે સરકારી નાકરા વચ્ચે ચાલેલા પત્રવ્યવહાર આપણને કાઈ દિવસ જોવાના મળે ત્યારે ખબર પડે. આ રહ્યો તે ઐતિહાસિક પત્ર:
'
“ જે પ્રદેશની વતી હું વડી ધારાસભાના સભાસદ છું તેમાંના બારડોલી તાલુકા એક ભાગ છે. ત્યાંના ખેડૂતને સારુ તમે જાહેર મદદ માગી છે. હું પાતે ગુજરાતી હાઈ અને વડી ધારાસભામાં ગુજરાતના પ્રતિનિધિ હાઈ બારડોલીની લડતનું નિરીક્ષણ ધ્યાનપૂર્વક કરી રહ્યા છેં. જે પદ હું આજે ભાગવી રહ્યા છેં તેના ધર્મને ધ્યાનમાં રાખીને ખારડોલીના સત્યાગ્રહીઓને સારુ દાદ મેળવવા મેં યથાશક્તિ પ્રયત્ન કર્યો છે. જે ખારડોલીના
૧૬