SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ આરડેલી સત્યાગ્રહનો ઇતિહાસ પ્રકરણ વધાવી લઈને પિતાને પક્ષ મજબૂત કરે. ગમે તેમ હો, દીવાન - બહાદુરની દેખીતી રીતે અપમાનકારક અને અયોગ્ય લાગતી માગણીને સરદાર સ્વીકારી ન શક્યા. એટલે તેમણે પેલા કાગળના જવાબમાં આ પ્રમાણે તાર કર્યોઃ “આપને પત્ર પહોંચે. પંચ નિમાય તે પહેલાં વધારાનું મહેસૂલ આપવું અશક્ય છે. જૂનું મહેસૂલ ભરી દેવામાં આવશે—પણ તે પણ સ્વતંત્ર, ખુલ્લી તપાસ જાહેર થાય તેમાં પુરાવો રજૂ કરવાની અને સરકારી અમલદારેની ઊલટતપાસ કરવાની લોકોના પ્રતિનિધિઓને છૂટ હોય, ખાલસા કરેલી જમીન પાછી આપવામાં આવે અને સત્યાગ્રહી કેદીઓને છોડી દેવામાં આવે ત્યારપછી લેકે પંચને નિર્ણય સ્વીકારશે. જવાબ આરડેલી આપો. વલ્લભભાઈ” આ તારને ભાવ વિસ્તારથી નીચેના પત્રમાં તેમણે જણાવ્યોઃ બારડેલી, તા. ૨૮મી મે, ૧૯૨૮. પ્રિય હરિલાલ, | નવસારીથી આપને એક લાંબે તાર મોકલ્યા છે, એની નકલ સાથે મારી અને આપની કામ કરવાની અને સેવા કરવાની રીતો ભિન્ન છે એટલે મને જે “ઓછામાં ઓછી શરત” સંતોષકારક લાગે તે આપને વધારા પડતી માગણી લાગે. જે વધારે પહેલો ભરી દેવાનું હોય તો પંચ નીમવાની જરૂર જ શી છે? લોકને પક્ષ બેટે ઠરે અને વધારે લોકે ન આપે તો તે ભરાવવાની સરકારની પાસે પૂરતી સત્તા છે. . " મહેરબાની કરીને એટલું પણ જેજે કે આ પંચે કરવાના કામની શરત પણ પહેલેથી નક્કી થવી જોઈશે. ગમે તે શરતે ન ચાલે. લોન કેઈ પણ સ્વાભિમાની પ્રતિનિધિ એટલે આગ્રહ રાખ્યા વિના તો ન જ રહી શકે કે કેદીઓને છોડવામાં આવે અને જમીન પાછી આપવામાં આવે–ખાસ કરીને જ્યારે કેદીઓને ગેરકાયદેસર સજા થઈ હોય અને જમીન ગેરકાયદેસર ખાલસા થઈ હોય. છેવટે આપને એટલું જણાવ્યું કે જે આપનાથી હિંમતભર્યું પગલું ન લેવાય એમ હોય, અને લોકેનું બળ મને જેટલું લાગે છે તેટલું આપને ન લાગતું હોય તે આપે કશું ન કરવું–એમાં જ આપની સાચી સેવા રહેલી હોય. આબરૂભરી સમાધાનીનાં દ્વાર હું બંધ કરવા નથી ઇચ્છતે, પણ આબરૂભરી સમાધાની વિના અથવા લોકોને આકરામાં આકરી
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy