SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ગાજવીજ પણ આટલી ‘ નજીવી' શરત સ્વીકારશે એમ માની લીધું. એ જ સાહેબે સમાધાનની એછામાં એછી શરતની વાત શરૂ કરી, અને તેમ કરી સરદારને સત્યાગ્રહીઓની એછામાં એછી શરતની વાત કરવાને ઉશ્કેર્યાં. દીવાન બહાદુર અને સરદારની વચ્ચેના કિસ્સા દુઃખદ છે, પણ દીવાન બહાદુર છાપે ચડ્યા, વલ્લભભાઈને વગેાવવાના પ્રયત્ન કર્યાં એટલે વલ્લભભાઈ એ નછૂટકે કેટલાક કાગળા પ્રસિદ્ધ કરવાની મને પરવાનગી આપી છે. આ રહ્યો તેમને પહેલેા કાગળ (અંગ્રેજીનું ગુજરાતી ભાષાન્તર)ઃ મહાબલેશ્વર, વેલી વ્યુ, તા. ૨૫-૫-’૨૮. પ્રિય વલ્લભભાઈ, હું તે। મારા પાસે નાંખી ચૂકયો છું, અને એની અસર થઈ હોય એમ જણાય છે. સેામવારે મારે તાર મળે તેા મહાબલેશ્વર પહોંચી જવાની તમારે તૈયારી રાખવી. લેાકા પહેલા પૈસા ભરી દે તા સરકાર એક સ્વતંત્ર અમલદારને નવી જમાબંધીની ફરી તપાસ કરવાને માટે નીમશે એવું સરકાર જાહેર કરે તે લેાકા વિરોધ સાથે પૈસા ભરી દેશે ખરા ? આટલી તેા ઓછામાં ઓછી શરત હાય એમ લાગે છે. વેચેલી અથવા ખાલસા કરેલી જમીન પાછી આપવામાં આવે એવી તજવીજ હું કરવાનો છું. હું તે પ્રયત્ન કરીશ, પણ તમને આ વસ્તુ ગમતી હાય તેા તારથી ‘હા ' લખી જણાવે અને ટપાલથી પણ જવાબ આપે. જોતે બહુ ખેચરો નહિ. અહીં બેઠા છતાં હું તમારી સાથે જ છું. લિ॰ સ્નેહાધીન, રિલાલ દેસાઈ.’ [ ‘ પહેલા ' શબ્દની નીચે કાગળ લખનારે જ ભારસૂચક લીટી કરી છે. ] એછામાં ઓછી શરત 'ની સરકારની માગણીને દીવાન બહાદુરે ટપેરી આપી એમ કહેવામાં કદાચ ભૂલ થતી હાય, કારણ આ પછીના ધણા કાગળામાં એ શરત એમની પેાતાની હાય. એવા જ એમણે ભાસ આપ્યા, અને એ શરત તદ્દન ચેાગ્ય અને વાજબી છે એમ કહીને તેને ખાસા બચાવ કર્યાં. આથી તે। દીવાન બહાદુરની સ્થિતિ ઊલટી ખરાબ થાય છે, કારણ મૂળ એ સૂચના જ એમની હેાય તે સરકાર તે સ્વાભાવિક રીતે શ્રી. વલ્લભભાઈના મિત્ર પાસેથી આવનારી એ સૂચનાને ૧૬૧
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy