SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ગાજવીજ મહિનાથી આટલાં તોફાન કર્યા, પઠાણ લાવ્યા, મોટરે લાવ્યા ખાસ અમલદારે રાખ્યા, પણ એ બધાં તોફાનનું પરિણામ શું આવ્યું? ભલે ખેડૂતને માલ વેડફક્યો હશે, પણ તમારા દફતરમાં કેટલું જમે થયું? , છેવટે તે ગાય દેહી કૂતરીને જ પિવડાવ્યું ને?” ચી રડોલીનું બળ વધતું જતું હતું અને સરકારની અ અકળામણ વધતી જતી હતી. કમિશનરસાહેબને હજુ બારડોલીની મુલાકાતે આવવાની ફુરસદ નહોતી મળી. આજે નહિ તે કાલે એ હિલચાલને ચપટીમાં મસળી નાંખશું એવી એમને ખાતરી હતી, એની હાથ નીચેના અમલદારોની આપેલી એવી ખાતરીને વિષે એમને સંપૂર્ણ વિશ્વાસ હતો. “સ્થાન ઉપરના માણસના ઉપર વિશ્વાસ રાખનારી સરકાર એ કમિશનરને “સ્થાન ઉપરનો માણસ” સમજીને નિશ્ચિંત બેઠી હતી. પણ મે મહિનાનો તાપ સરકારથી સહન ન થયો. સરકારે જોયું કે એકે પાસ સીધે પડતું નથી ત્યારે તેણે “યુદ્ધપરિષદ બોલાવી. યુદ્ધપરિષદમાં બે ગુજરાતી અમલદારો હતા. બંનેને લડાઈ શાંત પાડવાની સરખી ઉત્કંઠા હતી, પણ હવે એકની ઉત્કંઠા વિવેક વટાવીને આગળ જતી હતી. દીવાન બહાદુર હરિલાલ દેસાઈ શ્રી. વલ્લભભાઈના જૂના મિત્ર, પણ રાજદરબારે ચડેલા મિત્ર અને સરકાર સામે બહારવટે નીકળેલા મિત્ર વચ્ચે શી રીતે મેળ ખાય? પેલા મિત્ર સરદારને પિતાની રીતે મદદ કરવા ગયા અને લોકોની અસેવા કરી. કમિશનર અને તેના હિમાયતીઓની પહેલી શરત એ હતી કે વધારા સાથેનો સરકારધારે પહેલો ભરી દેવામાં આવે. દીવાન બહાદુરે આ ટોળીને ટપેરી આપી, અને શ્રી. વલ્લભભાઈ
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy