SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯મું ગવાઈ રહેલું બારડેલી -જતા હતા. મને તેમણે ગાડામાં બોલાવી લીધો. એમના , મલકાટનું કારણ શ્રી. મોહનલાલ પંડ્યાએ મને જણાવ્યું. પંચ થવાનો હુકમ ન માનવાને માટે એમને કોર્ટનું તેડું આવ્યું હતું. એમનો હરખ ન માય. ઘણું મહિનાની સજા થાય તો કેવું સારું એમ કહેતા હતા. “આ પહેલીવાર કેરટને પગથિયે ચડવાને. મારા ગામમાંથી કઈ પણ જણ છેલ્લાં પચાસ વર્ષમાં કેરટને બારણે ચડજો નથી,' એમ તેમણે મને ખબર આપી. એમની સામે ફરિયાદ કરનાર ફોજદાર હતો. ફોજદારે ફરિયાદ કરી કે આ માણસને પંચ થવાને હુકમ કર્યો, એણે ન માન્યું. કેવો હુકમ કર્યો, એમ પુછાતાં તેણે હુકમની નકલ રજૂ કરી. તેની અને મેજિસ્ટ્રેટની વચ્ચે થતી વાતો એટલે તેની જુબાની તે જ બેલે અને તે જ સાંભળે ! આપણું ખેડૂતને જ્યારે આ જુબાની વાંચી સંભળાવવામાં આવી ત્યારે તે તો આભો જ બની ગયે. જ્યાં બેઠા હતા ત્યાંથી ઊછળી ઊભો થયો, અને ફોજદાર સામે જોઈને બોલવા લાગેઃ “સાહેબ, ઈશ્વરને સાક્ષી રાખીને બેલો છો કે ? સાચું બોલો છો કે તમે મને લેખી હુકમ આપે છે?” ફરી બેઃ ઈશ્વરને સાક્ષી રાખીને સાચું કહો.” પણ ફોજદાર તેના તરફ જુએ શેને ? ખેડૂતની આંખો લાલ થઈ “ઈશ્વરના નામ ઉપર આમ અત્યાચાર થતો હશે ?' એ વિચારથી તેનું હૈયું ઘવાયું. કેર્ટમાં જૂઠાણાની કાંઈ નવાઈ છે? પણ આ બિચારો કોઈવાર એ “ન્યાયમંદિર માં ગયો હોય તો ના? પણ એ ફેજદારને વિષે પણ આ ખેડૂતને કડવું વેણ કહેતે ભાગ્યે જ કોઈએ સાંભળ્યો હશે. આ પ્રકારનું શાંત તેજ તાલુકામાં જ્યાંત્યાં જોવામાં આવતું હતું અને એ જોવાને લોકોનાં ટોળાં જ્યાં ત્યાંથી ઊતરતાં હતાં. પ્રકરણને આરંભે ટાંકેલા ઉગારો સરદારે ચાર મહિના ઉપર કાઢયા હતા, અને તે અક્ષરશ: સાચા પડ્યા હતા.
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy