SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ આરડોલી સત્યાગ્રહના ઇતિહાસ પ્રકરણ સખત ઝાટકણી હતી. ગવર્મેત્રણ પ્રસંગે સ્વતંત્રતાથી વચ્ચે પડ્યા હતા તેવી રીતે આ ભયંકર અન્યાયની ખાખતમાં વચ્ચે પડે એવી યુક્તિયુક્ત સૂચના હતી, અને ૧૨મી જૂનના દિવસ આખા દેશમાં ‘ખરડાલી દિન તરીકે ઊજવવામાં આવે એવી દરખાસ્ત હતી. સરકારનું અનેકવાર ખેાલવામાં આવેલું પોકળ શ્રી. જયરામદાસે પેાંતાની રીતે વધારે પાકળ કરી બતાવ્યું હતું, અને ગયા માના ધારાસભાનેા વેટ’જેને સરકાર ડૂબતાના તરણાની જેમ પકડી રહી હતી તેનું મિથ્યાત્વ સરસ રીતે સિદ્ધ કર્યું હતું. સરકાર શા સારુ ઉધાડું કહી નથી દેતી કે અમે નર્યાં પશુબળ ઉપર અને સત્તાના જોર ઉપર ખડા છીએ ? જે વસ્તુને નીતિની દૃષ્ટિએ કશા બચાવ-ન થઈ શકે તેના જૂઠ્ઠાણાંવાળી અને ભ્રામક દલીલોથી બચાવ કરવામાં શું હાંસલ છે?” પઠાણુરાજની ઝાટકણી કાઢતાં તેમણે કહ્યું, “ ધોળે દહાડે પઠાણે ચેરી કર્યાના બનાવ પછી એક દિવસ પણ તેમને ખારડાલી તાલુકામાં રાખવા એ આ સરકારને માટે અત્યંત શમભરેલું છે.'' ખારડાલીમાં ચાલી રહેલા સિતમેાનું અને તાલુકાની ભવ્ય શાંતિનું વન આપી તેમણે જણાવેલું : “ સરકારી ચશ્માં ઉતારી તાલુકાના કાઈ પણ ગામડામાં ફરી આવે. ખારડોલીનાં ખેડૂત, સ્ત્રીઓ, બાળકૈા સા કાઈ આ આગેવાન અને પ્રજાસેવા ઉપર કેટલાં મરી પીટે છે. મુંબઈ સરકારની જુલમ નીતિના કાળા ડાધ જેમ તેના તંત્રમાં કાયમ રહેવાના છે તેમ તેના જવાબદાર વડા અમલદારાની પ્રજાસેવકા પ્રત્યેની ઉદ્ધતાઈનું આ ન ધાવાય એવું કલંક પણ તેની તવારીખમાં કાયમ રહેશે. ’ 22 આ પછી શ્રી. વલ્લભભાઈને ખેલવાની વિનંતિ કરવામાં આવી. કેટલાય સમય સુધી એમને વધાવનારા હ ધ્વનિ મંડપને ગજાવી રહ્યા, અને તેમણે ખેલવા માંડયું એટલે શાંતિ છવાઇ. મંડપના ખૂણેખૂણામાં તેમને અવાજ પહાંચતા હતા. લેાકેા ખીજાં કાંઈ નહિ તેા વલ્લભભાઈનું તે દિવસનું ભાષણ સાંભળીને જ પેાતાને કૃતકૃત્ય માનવા લાગ્યા—એટલું ભાષણમાં તેજ હતું, એટલી વીરતા હતી, એટલું સત્યનું ખળ ૧૫૨ 66
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy