SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯મું ગવાઈ રહે બારડોલી મુંબઈ ગઈ અને ત્યાં પિતે જોયેલાં દશ્યનાં વર્ણન આપ્યાં જેથી મુંબઈને યુવક અને વિદ્યાર્થીવર્ગ ખળભળી ઊઠયો. આ પછી આ યુવકેમાં જે અજબ ચેતન દેખાયું, તેમણે મોટાં સરઘસ કાઢવાં, અને સત્યાગ્રહ ફંડને માટે ઘેરઘેર ફરીને જે ફાળા કર્યા એ બધું આ બે બહેનની બારડોલીયાત્રાને પ્રતાપે હતું. આ . શ્રી. જયરામદાસ દોલતરામ (સિંધ તરફથી ધારાસભાના સભ્ય) બારડોલી માટે ખાસ ભરાનારી સૂરત જિલ્લા પરિષદના પ્રમુખ ચૂંટાયા. બારડોલીનાં ગામડાં નજરે જોયા વિના એમને પ્રમુખપદ લેવું ઠીક ન લાગ્યું. એમણે ઘણું ગામડાં જેવાં અને પિતાના ભાષણમાં જે જે જોયું હતું તેને તાદશ ચિતાર ઉતાર્યો. જે પરિષદ બે મહિના ઉપર ભરવાની શ્રી. વલ્લભભાઈએ સલાહ નહતી આપી તે ૨૭ મી તારીખે સુરતમાં ભરાઈ આવી પરિષદ સૂરતના લોકોની જાણમાં અગાઉ કદી ભરાઈ નહોતી. હજારો માણસો જિલ્લાના દરેક તાલુકાના ખૂણેખૂણાની ગામમાંથી ઊભરાયાં હતાં. બારડેલીની ગાડીઓના ડબાનાં ચડવાનાં પાટિયાં ઉપર પણ મુસાફરે ઊભા હતા! સહેજે ૧૦-૧૫ હજાર માણસો મંડપમાં હશે, અને મંડપમાં ન દાખલ થઈ શક્યા એવા હજારો બહાર રહી ગયા હતા. બારડોલીના સત્યાગ્રહ વિષે કોને કેટલો ઉત્સાહ હતો તે જણાવવાને માટે આ અપૂર્વ દશ્ય પૂરતું હતું. બારડોલીથી રાનીપરજની બાળાઓને ખાસ સત્યાગ્રહનાં ગીત સંભળાવવાને માટે લાવવામાં આવી હતી. એ સરળ ને નિર્દોષ બાળાઓને સભાક્ષોભ જેવી વસ્તુ નહોતી. ગાવાનું કહ્યું એટલે કોયલની જેમ ટહૂકી ઊઠી. બારડોલી ન જનારને પણ એ સત્યાગ્રહગીત સાંભળવાનો લહાવો મળ્યો. મંડપના થાંભલા ઉપર બારડોલીમાં જોવામાં આવતાં આજનાં પાપપુણ્યનાં દાનું ‘ચિત્રમય જગત” ટાંગવામાં આવ્યું હતું. - શ્રી. જ્યરામદાસનું ભાષણ અનેક રીતે ઉત્કૃષ્ટ કોટિનું હતું. એમાં પ્રશ્નનો સુંદર અભ્યાસ હતા, અભ્યાસ જેણે ન કરેલો હોય તેને માટે આખા પ્રશ્નની વિગતોનું સટીક ટાંચણ હતું. એમાં નમ્રતા હતી, પણ તે સાથે નીડરતા હતી, સરકારની ત્રાસનીતિની ૧૫૧
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy