SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ બારડેલી સત્યાગ્રહનો ઇતિહાસ - પ્રકર છતાં ડા. અનસારી, મૈલાના શૌકતઅલી, અને મૂલવી મહમદ બલોચ બારડોલી ગયા. બારડોલીમાં અનેક સત્યાગ્રહી મુસલમાનો હતા, અને સૂરતના મુસલમાનોને પણ આગ્રહ હતો એટલે તેને વશ થઈને તેઓ ગયા. ખરી વાત એ છે કે ડા. અનસારી બારડોલી ન ગયા પણ સૂરતમાં રહીને તેમણે બારડોલીનું કામ કર્યું, તેમણે સુરતના મુસલમાનોને બારડોલી, સત્યાગ્રહમાં સક્રિય સાથ દેવાની અને સરકારને કશા પ્રકારની મદદ ન દેવાની સલાહ આપી. મૈલાના શૌકતઅલી અને મૌલવી મહમદ બલોચ તો બારડોલી ગયા અને સત્યાગ્રહીઓનું સંગઠન જોઈને ખુશખુશ થઈ ગયા. બીજી તરફથી પારસી ખાતેદારના ઉપર ગુજરતા ત્રાસથી ખેંચાઈને શ્રી. ભરૂચા અને શ્રી. નરીમાન બારડોલી આવ્યા, અનેક. ગામમાં ગયા, અને લોકોને ઊલટપાલટ સવાલ પૂછીને ખાતરી કરી કે બારડોલી તાવણીમાંથી પસાર થશે. શ્રી. નરીમાને પિતાના એક ભાષણમાં સરકારની દમનનીતિ ઉપર સખ્ત પ્રહાર કર્યો: આપણને કહેવામાં આવે છે કે બ્રિટિશ રાજ્યમાં શાંતિ અને વ્યવસ્થા સ્થપાયાં છે અને ચોર, ડાકુ અને પીંઢારાનું નામ નથી રહ્યું. બીજે તો ગમે તેમ હોય, બારડેલીમાં આજે પઠાણું અને મવાલીનું રાજ છે. મુંબઈમાં જે પઠાણની હિલચાલ ઉપર ચોવીસ કલાક પોલીસ ચેકી રાખે છે તેમાંથી આ પઠાણોને અહીં બોલાવ્યા છે. આ ભાડૂતી પઠાણ લાવીને સરકારે પિતાની જેટલી લાજ બેઈ છે તેવી બીજી કોઈ પણ રીતે ન ખોઈ હોત.” શ્રી. ભરૂચા વળી એકવાર આવ્યા. આ વેળા સંતક વકીલ તેમની સાથે હતા. બંનેએ મુંબઈ જઈને પારસી કોમને એક અપીલ કરી ને તેમાં જણાવ્યું કે પારસીઓએ બારડોલીમાં ચાલી રહેલા અત્યાચારોની સાથે સીધે અથવા આડકતરો જરાય સંબંધ ન રાખ. મુંબઈના યુવક સંઘની ભેસાણિયા બહેને બારડોલીનાં ગામડાંમાં થોડા દિવસ ગાળવા આવી, લોકેાની સ્થિતિ નજરે જોઈ ચોધાર આંસુ પાડ્યાં, “અમારી જિંદગીની સાચી કેળવણી અમને આ દિવસોમાં મળી એમ એકરાર કરીને તેઓ ૧૫૦
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy