SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ દાઝયા ઉપર ડામ હવે લોકેને બે બેલ. સરકારનું રાજ્ય ફૂટ પડાવવાની નીતિ ઉપર - જ નથી રહ્યું છે. એ આંખમાં ખૂંચે એવી રીતે બતાવવાને માટે સરકારે મોટે ભાગે હિંદુવસ્તીવાળા તાલુકામાં મુસલમાન અમલદારો અને ભાડૂતી પઠાણો ઠસાવવાનું ડહાપણ ડેવ્યું છે. સત્યાગ્રહી તરીકે લેકે સહેલાઈ થી સરકારના પેચને પહોંચી વળી શકે એમ છે. અમલદારે ને પઠાણોને તેઓ મિત્ર સમજે, તેમને અવિશ્વાસ ન કરે, અથવા કોઈ પણ રીતે તેમનો ડર ન રાખે અને તેમને પજવે નહિ. એ અમલદારે આપણું દેશબંધુઓ છે, અને એ પઠાણે આપણું પડેશીઓ છે. સરકારને પોતાની -ભૂલની ખબર પડવામાં અને હિંદુની ઈજજત મુસલમાનને અને મુસલમાનની - ઇજ્જત હિંદુને સરખી જ પ્યારી છે એમ સમજવામાં વાર નહિ લાગે. આ વસ્તુ પ્રત્યક્ષ રીતે સિદ્ધ કરવાની તક બારડોલીના લોકોની પાસે પડેલી જ છે. સત્યાગ્રહનું શાસ્ત્ર એ પ્રેમનું શાસ્ત્ર છે. એનું તેઓ પૂરેપૂરું પાલન કરશે તે તેઓ આપખુદ કમિશનરનું પાષાણું હૃદય પણ પિગળાવી શકશે.” આ અલ્પ દેખાતા કાગળે કે મેટો ખળભળાટ મચાવ્યો એ તે આ પછીનાં પ્રકરણોમાં જોઈશું.
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy