SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ પ્રકરણ તે લોકોની આંખમાં ધૂળ નાંખવા માગે છે. કારણ મૂળ મુદ્દે એ નથી કે અમુક ગામ વર્ગમાં મુકાયેલું છે કે નહિ. મૂળ મુદ્દો તે એ છે કે - મહેસૂલ જે રીતે વધારવામાં આવ્યું છે, તે રીત તદ્દન અગ્ય છે. અને બારડોલીના લોકો એ આવહ નથી કરતા કે તેમને મુદ્દો વીકારવામાં આવે. તેમને આગ્રહ તે એટલો જ છે કે તેમની ફરિયાદ કેટલી સાચી છે તે તપાસ કરવાને માટે એક સ્વતંત્ર અને નિષ્પક્ષ પંચ નીમવામાં આવે, અને પંચને ગમે તે ઠરાવ હોય તેને અમલ કરવામાં આવે. આમાં મહેસૂલ ન આપવાની આ વાત જ ક્યાં છે? અમુક ખેડૂતે કે અમુક ગામને દાદ મળવાની વાત જ ક્યાં છે? આ પ્રશ્ન જ સિદ્ધાન્તને છે. યોગ્ય તપાસ વિના મહેસૂલ - વધારવાનો સરકારના હકને બારડેલીના લોકે ઇનકાર કરે છે. આની સાથે હું એ પણ જણાવું કે આ લડત સ્વરાજ્ય મેળવવાને માટે યોજાયેલી કર ન ભરવાની લડત નથી. આ લડત તો એક આખા તાલુકાના લોકોની ચેકસ ફરિયાદની દાદ મેળવવા માટે જ છે. એટલે કમિશનરના પત્રના નીચેનાં વાક્યોમાં ઉદ્ધતાઈની પરાકાષ્ઠા અને * હડહડતું જૂઠાણું ભરેલાં છે: જે ચળવળિયાઓનું ટોળું ગરીબ ખેડૂતે ઉપર જીવે છે અને તેમને બેટે રસ્તે ચડાવે છે તેમનાથી એ બાપડાઓનું સત્યાનાશ ન વળે તે વિષે મારા કરતાં વધારે ચિંતા બીજા કોઈને નહિ હશે. . . . . . . . ખેડા જિલ્લાના પાંચ તાલુકાઓમાંથી આ ચળવળિયા આવે છે. એ તાલુકામાં રેલને લીધે બે વરસ સુધી મહેસૂલમાં ફેરફાર કરવાનું મુલતવી રાખવામાં આવ્યું છે. છેલ્લા સાતઆઠ મહિનામાં સરકારે ખેડા જિલ્લામાં પ્રલયસંકટનિવારણને માટે લગભગ અડધે કોડ રૂપિયા આપ્યા છે. જે આ ચળવળિયાઓ બારડોલીમાં ફાવી જાય તે ખેડા જિલ્લામાં જમીનમહેસૂલ અને તગાવી વસૂલ થવાના સાંસા પડે.” સરકારને હું ખાતરી આપું છું કે જે “ચળવળિયાઓ ફાવશે તો તગાવી વસૂલ થવામાં તે કશી મુશ્કેલી ન આવે. જો એ લેનારાઓ ન ભરે તે તે વસૂલ કરવા માટે “ચળવળિયાઓ’ના સરદાર વલ્લભભાઈ પટેલ તેમને વગર પગારના કલેકટર મળી રહેશે. પણ સાચી વાત તો એ છે કે જે - “ચળવળિયાઓ” ફાવશે તે ઉત્તર વિભાગના કમિશનરે લોકોના માનવંતા સેવકનું અપમાન કરવાની અને જૂઠાણું બેલવાની હિંમત ધરી છે તેવી હિંમત સરકારી અમલદારે નહિ ધરશે, અને બારડેલીના વધારા જેવા ભયંકર, અગ્ય અને અન્યાયી વધારા સામે લોકોને કંઈક દાદ મળશે. ૧૪૨
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy