SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ બારડેલી સત્યાગ્રહને ઇતિહાસ ઊંચ વરણના લોકોને આ રાજતંત્ર કેવા રાક્ષસો બનાવે છે તે તમને મારે દેખાડવું છે.” છે અથવા આઃ તે જ આપણી તે એક નાનીસરખી લડત હતી. પણ સરકાર હઠે ભરાઈને તેને મોટું રૂપ આપે છે. જે આજે પ્રજા પિતાની હઠ બરાબર ન પકડે તો સરકાર તેને છુંદી નાંખશે. પણ પ્રજા જે ખરી હઠ પકડશે તો સરકાર હારી જશે. કદાચ આ તાલુકાના બધા માણસે ખુવાર થાય કે મરી જાય તોયે શું? ૮૦ હજાર માર્યા કે જીવ્યા તેને ઈશ્વરની સૃષ્ટિમાં શે હિસાબ છે? એક મણ ઘઉંનું બી જમીનમાં દટાઈ કહીને નાશ પામે છે, પણ તેના બદલામાં ખાંડીબંધ ઘઉં પેદા થાય છે; તેમ તમે બારડેલી તાલુકાના ખેડૂતે બી બની ભલે ખુવાર થાઓ, અને ગુજરાતની ખેડૂતઆલમનું કલ્યાણ કરે. આજે તમને લક્ષ્મી ચાંલ્લો કરવા આવી છે એમ સમજજે. ફરીફરીને આ સમય કોઈના ભાગ્યમાં નથી આવતો. તમારે ખેડૂતને ડરવાનું હોય જ નહિ. ડર તે સરકારને હોય–જેને પિતાનું રાજ્ય રાખવું છે; સરકારી અમલદારને હે ય–જેને નેકરી ખેઈ બેસવાનો ડર છે.” " અથવા તે અપ્રમત્ત આઠે પહોર જાગૃત સરદારને આ ઉદગાર લોઃ - “તમે મને આરામ લેવા કહે છે, પણ મારે કંઈ આરામ નથી લેવો. છું છું ત્યાં સુધી રાતદિવસ તમારી વચ્ચે રહેવું એ મારે ધર્મ છે. તમને ખબર નહિ હોય પણ મને ખબર છે કે તમારી પાછળ કેટલાં કેટલાં ભૂત ભમી રહ્યાં છે. કઈ વખતે તેઓ તમને વળગી ગાંડા કરશે, કઈ વખતે પાડશે એનું રખવાળું કરવાને મારે ધર્મ છે. જેણે તાલુકાને રખે હેવાને દાવો કર્યો છે તેનો ધર્મ સતત સર્વકાળ જાગૃત રહેવાને છે.. તમે મને તાલુકાને રખે ની તે હવે જ્યાં સુધી હું બહાર રહું ત્યાં સુધી મારે સૂવાનું હોય નહિ. મારે ધર્મ પોતે જાગૃત રહી તમને નિરંતર જાગૃત રાખવાનો છે.”
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy