SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ “બારડેલી સત્યાગ્રહને ઇતિહાસ પ્રકરણ ધાર્મિકતાનો ધ્વનિ સાંભળ્યો, પણ ભાઈ સન્મુખલાલની પાસેથી તો કદી ન ધારેલી એટલી શાંતિ, નમ્રતા અને છતાં વીરતાથી ઊભરાતું ભાષણ સાંભળ્યું. ટૂંકું અને ટચ ભાષણ; એમાં છલકાઈ નહતી, એમાં બડાશ નહોતી, એમાં ઈશ્વરની પાસે નમ્ર માગણી હતી કે કસોટીમાંથી ઊતરવાની તે હિંમત આપે, અને - તાલુકાને સરદારની લાજ રાખવાની શક્તિ આપે. ગામડામાં જ ઉછરેલા, ગ્રામ્ય કેળવણી પામેલા પુરુષમાં કેવો ઉદાત્ત સંસ્કાર રહેલો છે તે પણ તેના તકાળ કરવામાં આવેલા ભાષણમાં સરસ રીતે જણાઈ આવતું હતું? “મારા પર ફોજદારી કાયદાની કલમ ૧૮૮ અન્વયે જેલયાત્રાનું તેડું આવ્યું છે. આવા માન માટે હું મગરૂર છું. મારે અત્યારનો આનંદ શબ્દોમાં વર્ણવવાની મારામાં શક્તિ નથી, એ તે હું નાચું કે એવું કંઈક કરું ત્યારે જ બતાવી શકું. હું પ્રામાણિકપણે માનું છું કે મેં કશો જ ગુને નથી કર્યો. મેં કઈ ઉપર અણઘટતું દબાણ કર્યું નથી કે ધમકી આપી નથી. એ વરતુ મારા સ્વભાવમાં જ નથી. છતાં તમે જોશો કે કાલે - બારડોલી કેર્ટમાં એવું નાટક રજૂ થશે. મારા મુરબ્બીઓ અને સ્નેહીઓ મને આગ્રહ કરી રહ્યા છે કે મારે અદાલતમાં બચાવ કરો. હું માનું છું કે સે વકીલોને લાવીને ઊભા રાખીશ તેપણ મૅજિસ્ટ્રેટને જે કરવું છે તે જ કરશે. માટે હું એ બચાવ કરવા હરગિજ તૈયાર નથી, ને મને જે સજા થાય તે વધાવી લેવા માગું છું. હું તાલુકાને અને સરકારને અહીં ઊભે રહીને ખાતરી આપવા માગું છું કે આ વાણિયે બારડેલીનું નામ ડુબાવનારે નથી. જે મને અત્યારે કંઈક સહેજ ગ્લાનિ થતી હોય તો તે એટલી જ કે આવી સરસ લડત જેવાને મોકે હવે મારી પાસેથી જવાનો પણ મને તેને શેચ નથી; હું જેલમહેલમાં બેસી પ્રભુનું સ્મરણ કરીશ, અને તમારી છતને માટે પ્રાર્થના કરીશ. સ્નેહી સબંધીઓને હું વીનવી રહ્યો છું કે મારા શરીરને માટે તમે લેશ ચિંતા ન કરશે કે મને આદત નથી ને હું જેલમાં મજૂરી કેમ કરીશ. હું તમને ખાતરી આપું છું કે પ્રભુનું સ્મરણ કરીને હું બધી જાતની તાકાત મેળવીશ ને કોઈ જાતની નામે શી માથે લીધા વગર છાતી કાઢીને પાછો તમારી વચ્ચે આવીશ. આજે જે સાચની લડત ચાલી રહી છે તેમાં વાલોડને મોખરે જોઈને મારું હૈયું ફુલાય છે. મારું વાલોડ! વાલોડને માટે આજે હું ૧૨૪
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy