SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રચંડ ભઠt ગુના માટે થઈ. આ કેસમાં અપાયેલા ચુકાદાને બીજે ઠેકાણે વિચાર કરશું. આ તે બે જૂના જોગીઓ – એમને એકવાર શું અને અનેકવાર શું, જેલજાત્રા એ બીજી જાત્રા જ હતી. પણ હવે આ “બહારના કાર્યકર્તાઓને પકડવા છોડી સ્થાનિક કાર્યકર્તાઓ ઉપર સરકારે હાથ ચલાવવા માંડ્યો. વાલોડમાં ડાકટર ચંદુલાલના હાથ નીચે એક નાનકડી સેના હતી. આ સેનામાંના ત્રણ જણને સરકારનાં તેડાં આવ્યાં. આમાંના બે તો કાઠિયાવાડના વિરે હતા – ભાઈ શિવાનંદ અને અમૃતલાલ, પણ ત્રીજા વાલોડના એક લોકપ્રિય અને ત્યાગી કાર્યકર્તા સન્મુખલાલ હતા. પહેલા બેને તે જેલ જવામાં વિશેષતા નહોતી, કારણ કેટલો સમય થયાં તેઓ આવાં કામમાં પડેલા હતા, પણ ભાઈ સમુખલાલને માટે આ નવો લહાવો હતો. આઠ વર્ષ થયાં તે પણ આવાં કામમાં રસ લેતા હતા, ૧૯૨૧માં પણ તેમણે કમર કસેલી હતી, છતાં તેમણે લોકસેવાને બંધ કરી મૂકેલો એમ ન કહેવાય. બારડોલીની લડત જાગી ત્યારથી તેમણે નથી જાણે થાક કે નથી જાણ્યાં ભૂખતરસ, તાલુકાની સેવામાં ફના થવાને માટે તેઓ તૈયાર થઈ રહેલા હતા. એમના વિના ડા. ચંદુલાલ વાલેડને અજેય ગઢ બનાવી શકે એમ નહોતું. ૨૮ વર્ષની તેમની ઉંમર છે. ઘરમાં માત્ર વિધવા માતા. એ તેમને જેલ વળાવવાને માટે બારડોલી આવ્યાં હતાં, તેમને વિદાય દેવાને માટે મળેલી વાલોડની સભામાં હાજર હતાં. તે આનંદ અને ઉત્સાહથી ઊભરાતાં હતાં એમ તો નહિ કહું, પણ હિંદુ મહિલાને છાજે એવી મર્યાદાથી પિતાની હિંમત દાખવી રહ્યાં હતાં. એ માતાનું દર્શન કરીને કોણ પવિત્ર ન થાય? અને એ સભા પણ કેવી ! અગાઉ મોટી મોટી સભા મેં આ ગામમાં જોઈ હતી, પણ અગાઉની બધી સભાઓને ભુલાવે એવી આ. હજારની મેદની હતી, પણ અપાર શાંતિ – જાણે કઈ મહાગંભીર પુણ્યકૃત્યને માટે જ ભેગા થયા હોય ની ! શ્રી.વલ્લભભાઈની વાણીમાં પણ તે દિવસે મેં કઈ અજબ ૧૨૩
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy