SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ બારડેલી સત્યાગ્રહનો ઇતિહાસ પ્રકરણ જમાઈની હિંમતને લીધે ટકી રહ્યાં હોય, કદાચ આસપાસનાં વીર દશ્યો જોઈને પણ તેમનામાં હિંમત આવી હોય. ગમે તેમ હોય બંને જણ આખી લડતમાં ઠેઠ સુધી અડગ રહ્યાં. મુંબઈના અને બીજા પારસીઓની સહાનુભૂતિ સત્યાગ્રહીઓ તરફ ખેંચાઈ તેને મૂળમાં આ બે પારસી સત્યાગ્રહીઓનું અડગ કષ્ટ સહન હતું. | દોરાબજી શેઠના રૂા. ૩૧૪–૧૪-૫ ના ખાતા બદલ બે હજારની કિંમતને માલ જપ્ત થયો, દુકાને તાળાં પડ્યાં, પછી સરકારી પ્યાદાઓએ પોતાની બેવકૂફી ધોઈ નાંખવાને માટે પાછી દોડાદોડ કરી, તાળાં ખેલીને દોરાબજીને દુકાન ન ચલાવવાને માટે સજા કરવાની ધમકી આપી; વળી ચડાઈ થઈ, કાણાં પાપ જપ્ત કરવામાં આવ્યાં અને પરિણામે દારૂ ઢોળીને નુકસાન કરવામાં આવ્યું. અને વળી પાછી ચડાઈ થઈ, દારૂ બીજાં પીપમાં ભરવામાં આવ્યો, અને એક ભાડૂતી માણસને તે પાણીને મૂલે વેચવામાં આવ્યો. ઉપરાંત ચાર પી જતીમાં લેવાયાં. પણ આ બધું થયાં છતાં હજી રૂા. ૧૪૪-૬-૮ ની રકમ બાકી કાઢવામાં આવી, અને તેને માટે રૂ. ૩૦,૦૦૦ થી ૩૫,૦૦૦ ની કિંમતની જમીનની ખાલસાનોટિસ આપવામાં આવી. આ કિસ્સા પંજાબ માર્શલ લૉ વેળાનાં ઝેરની નાનકડી યાદ આપતા હતા, પણ તોયે પેલા બહાદૂર પારસીએ પોતાની અને તાલુકાની લાજ રાખે એ બહાદુર પત્ર લખીને અમલદારને કહ્યું: “હજી તારે વધારે જુલમ ગુજારે હોય તે ગુજર, તારું કાંઈ ન વળે.' રેડિટ મૅજિસ્ટ્રેટની ખાસ કોટ ખેલવામાં આવી હતી એટલે તેને માટે કામ ચાલુ રાખવામાં આવતું હતું. શ્રી. રવિશંકર પકડાયા પછી ભાઈ ચિનાઈને પકડવામાં આવ્યા. ભાઈ ચિનાઈ બારડોલીના પચરંગી કમ્બાને મકકમ રાખવાનું મેટું કામ કરી રહ્યા હતા. રવિશંકરભાઈની જેમ તેમના ઉપર પણ મામલતદારને અટકાયત કરવા માટે અને વેઠિયાઓને ધમકી આપવાને માટે કામ ચલાવવામાં આવ્યું, અને તેમને બે મહિના અને ૨૦ દિવસની સખત કેદની સજા પહેલા ગુના માટે અને ૬ મહિનાની સખત કેદની સજા બીજા ૧૨૨
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy