________________
૧૫મું
લાઠું અને હવે સરકારને વગોવવાના સાધન સિવાય બીજી રીતે વાપરવાને સરદાર લલચાય એમ નહોતું. સરદારે લોકોને હુકમ કાઢથાઃ
“ઢેલ વગાડવાં, શંખ વગાડવા બંધ કરે, તોપબંદૂકવાળી સરકાર આપણું લશંખથી ડરી ગઈ છે. ઢેલ અને શંખને સત્યાગ્રહની સાથે સંબંધ નથી. લોકોને મહેસૂલ ન આપવાનું સમજાવવાને આપણો ધર્મ છે તે ધર્મ કદી ન છોડશે, પણ આવાં જાહેરનામાં કાઢી સરકાર આપણને ફસાવવા માગે તે આપણે નથી ફસાવું.”
સરદારને હવે અમદાવાદ જવા આવવાની પંચાત રહી નહોતી. ત્યાંના તેમના મિત્રોએ મ્યુનિસિપાલિટીનું પ્રમુખપદ તેમને છોડાવવાની પેરવી કરી રાખી હતી – અથવા ઈશ્વરે તેમને તેમ કરવાને માટે પ્રેર્યા હતા એમ કહીએ તો ચાલે. કારણ હવે સરદારની બારડેલી તાલુકામાં ૨૪ કલાકની હાજરીની જરૂર રહે એવો સામે આવ્યો હતો. પરિણામે તાલુકાના દરેક ગામમાં ફરી , વળવાનું તેમનાથી બની શકયું, એટલું જ નહિ પણ આસપાસનાં ગાયકવાડી ગામમાં પણ અવારનવાર તેમનાથી જવાનું બની શકયું. આ ગાયકવાડી ગામે અને નવસારી કઓ આ લડતમાં રક્ષણના ગઢો બની રહ્યાં હતાં. ગામડાંમાં લોકશિક્ષણના રોજરોજ નવા પાઠ અપાઈ રહ્યા હતા. દરેક નવી સ્થિતિને પહોંચી વળવાને માટે સરદારની પાસે નવા ઉપાયો હોય, તેને હસી કાઢવાને માટે નવી ભાષા હોય, અને એક સ્થિતિ સરદારને માટે નવી હાય જ નહિ એ જોઈને લેકે આશ્ચર્યચકિત થતા હતા અને બહાદુર બનતા જતા હતા. આફવામાં ૧૩ ભેંસે પકડાઈ છે એમ સાંભળીને સરદાર આફવા ગયા. ત્યાં ભેંસે એવાને માટે તૈયાર રહેવાનું લોકોને સમજાવવા સરકાર પાસે દલીલ તૈયાર જ હતીઃ
આ તો તદ્દન નજીવી વસ્તુ છે. ગુજરાતમાં જળપ્રલય થયો હતો ત્યારે સેંકડે ઢેર તણાઈ ગયાં હતાં. પોતાનાં જીવ જેવાં વહાલાં ઢોર નજર આગળ તણાઈ જતાં લોકોને જોઈ રહેવું પડેલું. માણસે પણ બાળબચ્ચાં સહિત ચારચાર ને પાંચ પાંચ દિવસ ઝાડ ઉપર રહ્યાં હતાં. આની આગળ આપણો ભંગ તો કાંઈ જ નથી. જેમનાં ઢેર ગયાં હોય તે આજે હસતે ચહેરે બલિદાન આપે, સાકર વહેચો. તેમણે કશું ખાયું નથી, મહા ધર્મલાભ કર્યો છે.”
૧૧૭