SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ બારડોલી સત્યાગ્રહને ઇતિહાસ પ્રકરણ જગ્યા લેવાનું કહ્યું. ડા. સુમંતે શ્રીમતી શારદાબહેન સાથે સરભોણનું થાણું સંભાળી લીધું ભાઈ રામદાસ ગાંધી, શ્રી. જેઠાલાલ રામજી, સરદારનાં પુત્રી કુમારી મણિબહેન અને બીજા ઘણું સ્વયંસેવકે આ અરસામાં આવી પહોંચ્યાં. સરકારે હવે શરમ છેડી. જપ્તીની અનેક રીતે અજમાવી, ખાલસાની સેંકડે નોટિસ કાઢી, નિશાચરોની જેમ રાત્રે જેની તેની ભેંસે ભગાડી, પંચનામાં કર્યા વિના જપ્તીઓ કરી, સાચાં લિલામ કર્યા વિના સેંકડોના માલ પાણીને મૂલે વેચ્યા, છતાં સરકારનો ડર ઓછો થતો નહોતો. આ બધું કર્યું છે તેની વ્યર્થતા તેમની હાંસી કરતી હતી. એટલે હવે સરકારે મનાઈહુકમ કાઢક્યા, એક કલેકટર મારફત અને એક ડિસ્ટ્રિકટ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ મારફત. બંને હુકમ ૬ મહિનાની મુદતના હતા. પહેલો હુકમ “ભાડૂતી વાહનો અને બળદગાડાં હાંકનારને’ સમજાવનારને, સરકારી નેકરને અથવા બીજાને ત્રાસ કરનાર અથવા ત્રાસ આપવા ભેગા થનારને ગુનેગાર ઠરાવનારે, અને બીજે જાહેર રસ્તા નજીક અથવા મહોલ્લામાં અથવા જાહેર જગ્યામાં ઢોલ વગેરે વગાડવાનો ગુન ઠરાવનારે. આ બધી હુકમે સરકારનું બળ કે કુશળતા બતાવનારા નહિ, પણ સરકારે બંનેનું દેવાળું કાઢયું છે એમ બતાવનારા હતા. એ હુકમ કાઢવાનું બહાનું “જાહેર સલામતી અને સગવડ જણાવવામાં આવ્યું. પણ એનો ઉદ્દેશ ત્રાસ આપવા સિવાય બીજો જણાતો નહોતો. તેમને વેઠિયા મળતા નથી, ગાડાંવાળા મળતા નથી, તેમને લૂટેલે માલ ખરીદનારા મળતા નથી, અને જે તેમના હાથમાં આવી શકે એવા પણ હાથમાંથી જવાને ભય લાગે છે, એટલે તેમણે પોતાની ચીડ મનાઈહુકમમાં ઠાલવી. નહિ તે જુવાનિયાઓ અને બાળકે ઢેલ વગાડે એ દુનિયામાં કોઈ ઠેકાણે ગુનો જામ્યો છે? તોપ, બંદૂક અને દારૂગોળાને દમામ રાખનારી સરકાર ઢોલનગારાંથી ડરી ગઈ એમ કહીને સરકારને વગોવવાની સરદારને એક વધારે તક મળી. એવી વસ્તુને ૧૧૬
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy