SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ આરડોલી સત્યાગ્રહનો ઇતિહાસ. પ્રકરણ પેાલીસની મદદ લે છે અને તેથી આબકારી ખાતાની મદદ લઈને લોકને દુખાવવાની કોશિશ કરે છે. એવી સ્થિતિમાં પેાલીસને પણ ખાવાપીવાની ચીન્તમાં અડચણ નાંખવી યેગ્ય નથી. ભૂખે મરતા લશ્કર સામે લડવુ એ ધર્મયુદ્ધ નથી, તેથી મારી કડે!દ ગામને સલાહ છે કે એવા કઈ કાયદા ગામલેાકે કર્યાં હોય તેપણ હવે તે ફેરવી નાંખો. આ બીજી એક અગત્યની સલાહ આપું છું. જપ્તીનું કામ ચાલતું હોય ત્યારે લેાકાનું ટાળું. ત્યાં એકઠું ન થાય. સરકારના ઇરાદે જો મારામારી કરવાને હેચ તે આવી રીતે લેકા ટાળે થવાથી જ તે તેવા ઇરાદા ખર લાવી શકરો. તેાફાનને ચાળે કે ચડશેા તે આપણે પડ્યા સમજો. સરકાર પાસે સૌથી વધારે આસુરી સામગ્રી છે. રાક્ષસી યુદ્ધમાં તે તે એક મિનિટમાં આખા બારડોલીના ભૂકેભૂકા કરી શકે તેમ છે. એ રસ્તે આપણને ચડાવવાના તે પ્રયત્ન કરે, આપણને કાચવે, લોકો ગાંડાની માફક ટાળે વળે, તેમને ચીડવે અને તેમાંથી કાઈ જીવાનિયાના મિજાજ જાય કે તરત તે આપણા પર ચડી બેસે. એમ ન થાય એની ખૂબ સાવચેતી રાખજો. તેને તાળાં તેાડવા દે, કમાડ ચીરવા દે, સહેલાઈથી લઈ ાય એવી કીમતી ચીજો ઘરમાં ન રાખેા. આ બધું કરે તે શાંતિથી કરવા દે અને પાસે કાઈ ઊભા ન રહેા.'' કલેકટરે જે ‘ઈન્ટરવ્યુ ' આપ્યા હતા તેને જવાબ આપતાં તેમણે જે ખામેાશી પેાતાની ભાષામાં વાપરી હતી તેના ચેપ કાઈને લાગ્યા વિના ન રહે એવી હતી “ કલેક્ટર સાહેબે જણાવ્યું છે કે ખારડોલી તાલુકાના લેાકામાં ઘણા ખેડૂતે પૈસા ભરવા ખુશી છે, પણ એમને મારી નાંખવાને અને દેવતા મૂકવાને ડર છે તેથી ભરતા નથી. તેથી હવે હું ગામેગામ પૂછું છું કે કાઈને તેવા ભય હોય તા મને કહો. કાઈને રૂપિયા ભરવા હોય અને ડર લાગતા હોય તે મારી પાસે આવે, હું મામલતદારને ત્યાં તમારી સાથે આવીશ, અને કાઈ તમારા પર ઘા કરવા આવશે તે તેને પહેલા મારા માથા પર ઘા કરવા કહીશ. હું કાયરેાને લઈને લડવા નીકળ્યેા નથી. હું તા સરકારને ડર છેાડી બહાદુર બન્યા છે તેમની સાથે ઊભા રહીને લડવા માગું છું. હું તે ખેડૂતને કહું છું કે જો જીલમ થયા છે એમ લાગે તે નીડર બનીને પૈસા ભરવાની ના કહેા, પણ જો કાઈને એમ લાગતું હોય કે વધારો થયા છે તેમાં ન્યાય છે તેા ખુશીથી ભરી દે।. જેને ડર હશે તેનું હું રક્ષણ કરીશ. મને તેના ઉપર દયા તે છૂટશે કે આપનાર અને લેનાર તા ઈશ્વર છે, તેના વિશ્વાસ છેાડી તેણે સરકારના વિશ્વાસ કર્યો. ૧૦
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy