SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ મું ખામોશીના પાક 46 પાસે રજૂ કરવામાં આવી, જેમાં જણાવ્યું હતું કે પૂરતા પ્રાયશ્ચિત્ત અને ભાવી વનની ખેાળાધરી વિના કડેાદને ન લેવામાં આવે. સરદારે તેમને શુદ્ધ પશ્ચાત્તાપ એ જ પ્રાયશ્ચિત્ત છે એમ કહીને કંડાદને દરગુજર કરવાનું કહ્યું. નવું સત્યાગ્રહી બનેલું કડાદ ખીજા સત્યાગ્રહીઓથી આગળ જઈ આકરા બહિષ્કારના ધરાવેા કરવા લાગ્યું હતું. ગામમાં નવા આવેલા ખ્રિસ્તી જપ્તીઅમલદારને ગામમાંથી સીધુંપાણી કશું ન આપવાના ઠરાવ કરવામાં આવ્યા. શ્રી. વલ્લભભાઈ એ એક લાંબા ભાષણમાં શુદ્ધ સત્યાગ્રહનું રહસ્ય સમજાવી. આ ઠરાવ રદ કરવાની તેમને ફરજ પાડી, અને ભિવષ્યમાં આવનારાં તેાફાનની સામે ગમે તેવા ઉશ્કેરનારા સગામાં પણ ન ઉશ્કેરાવાની સલાહ આપી. ખુમારી ચડાવવાની સલાહની હવે જરૂર નહેાતી, હવે ખામેાશીના પાઠ ભણાવવાના સમય આવ્યેા હતેાઃ મારા સાંભળવામાં આવ્યું છે કે તમારા ગામમાં આજે એક ખ્રિસ્તી જપ્તીઅમલદાર નિમાયા છે તેને ગામમાંથી સીધુંસામાન મળતાં નથી. મારી સલાહ છે કે એમ ન કરશે. અમલદાર કંઈ આપણા દુશ્મન નથી. એ બિચારા હુકમના તાબેદાર થઈને આવ્યો છે. હુકમનો અનાદર કરી નોકરી છેડવાની તેની હિંમત નથી. તેના ઉપર 'આપણને દ્વેષ ન હાય. કાઈની જિં’ક્રૂગીની જરૂરિયાત અટકાવવી, દૂધ, શાક, ધેાખી, હામ ન મળે એમ કરવું એ સત્યાગ્રહ નથી. ખારમાંથી મળતી ચીજો પૂરા દામ આપતાં સાની જેમ તેમને પણ મળવી ોઈએ. એક અજાણ્યા માણસ ગામમાં આવીને પડે ને તેને આવે! બહિષ્કાર કરે તે તેની કેવી સ્થિતિ થઈ પડે? તેનાથી ન નારી છેડાય, તેમ ન લેાકાને ત્રાસ સહેવાય. આવી સ્થિતિમાં કાઈ ને મૂકવા એ સત્યાગ્રહ નહિ પણ ઘાતકીપણુ કહેવાય. માટે ધી, દુધ, શાક તેમજ તે કંઈ માંદા પડે તે દવા વગેરે જિ ંદગીની જરૂરિયાતા કાઈ અટકાવા નહિ. જરૂર જપ્તીના કામમાં તેને કાઈ ન્તતની મદદ ન કરવી, ગાડી કે મજૂર કેં પચ એવું શું આપવાની સાફ ના કહેવી. તેને કહી દેવું કે અમારે તમારી ઉપર રોષ નથી, તમે ખ્રિસ્તી હા હિંદુ હા કે મુસલમાન હા–– અમારે તે બધા સરકારી નોકરો સરખા છે, અમારે તમારી સાથે અંગત વિરોધ કઈ જ નથી; પણ અમારી સામે તમે જપ્તીના દરોડા લાવે તેમાં અમે તમને મદદ ન જ આપી શકીએ. આપણા ઝગડા તેા માટાએ સાથે છે, આવા ગરીબ નાકરા સાથે નથી. આપણું મળ તે સભ્યતાથી દુ:ખ સહન કરવામાં રહેલું છે. સરકારમાં નબળાઈ છે તેથી તે ૧૦૭
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy