SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ મું ૧૯૨૧ની ચાદ: સાંભળેલું તે મને યાદ રહી ગયું છે. શ્રી. વલ્લભભાઈએ કહેલું કે “બીજે કેઈ ન મળે તે મને આચાર્ય બનાવજે; છોકરાઓને ભણેલું ભુલાવી, દઈશ.” એ સાંભળી ગાંધીજી અને આખું મંડળ હસી પડેલું. પણ. મને ખબર પડી ગઈ કે બીજા હસ્યા અને ગાંધીજી હસ્યા એમાં તફાવત હતું. જ્યારે બીજાઓ મશ્કરી સમજીને હસ્યા, ત્યારે ગાંધીજી તો એમ સમજીને હસ્યા હતા કે વલ્લભભાઈ કહે છે તે જ તદ્દન ખરી વાત છે. ત્યારપછી આપણે જોયું છે કે અનેક રાષ્ટ્રીય શાળાઓ દેશમાં નીકળી. અને છેડેથેડે વખત રહીને ઊઠી ગઈ. એ ઊઠી ગઈ એમાં મને જરાયે. નવાઈ લાગી નથી. કારણ કે એ શાળાઓ બધી સરકારી શાળાઓનાં જ બીબાં જેવી હતી, એના શિક્ષકો સરકારને ભણેલા હતા, રાષ્ટ્રીય કેળવણીને ભણેલા નહોતા; સરકાર પાસેથી જે ભણેલા તેને ભૂલીને આવેલા નહતા. . એ વખતે જેના આચાર્યપદની લાયકાતને હસી કાઢવામાં આવી હતી તે જ આચાર્ય આજ બારડેલી તાલુકાની ૮૮ હજાર પ્રજાને ભણવવાની શાળા કાઢી છે. તા. ૪થીથી ૧૨ મી ફેબ્રુઆરી સુધી તેને ઉનયન સંસ્કાર થયે, વચ્ચે પ્રાયશ્ચિત્ત સંસ્કાર પણ થઈ ગયે, અને વેદારંભવિધિ તે હજુ હવે શરૂ થઈ રહ્યો છે. સાચું જ્ઞાન આપવાને આરંભ થઈ રહ્યો છે. સરકાર કે જેણે રાષ્ટ્રીયતાનું ભાન ભુલાવ્યું તેને ભૂલવાનો પાઠ અપાઈ રહ્યો છે. ખોટું ભણેલું ભુલેલા એક ગુરુ પાસે ભણીને જે આચાર્યપદે આરૂઢ થયા છે એવા પુરુષ આ રાષ્ટ્રીય શાળાના આચાર્ય છે. અબાસ સાહેબ અને પંચાજી જેવા તેના ઉપાધ્યાયે છે. હું તો તે શાળાને ક્ષુદ્ર તેડાગર છું. - પહેલો પાઠ સરકારને ભૂલવાને પૂરો થયો છે, હવે આ રાષ્ટ્રીય ભણતરમાં બીજો પાઠ આપભેગન શરૂ થશે. પાઠયપુસ્તક બારડેલી તાલુકાની ભૂમિ છે, રાત્રિ અને દિવસ તેનાં. પૃથ્ય છે. એ પૃષ્ઠો ઉકેલી ઉકેલી નિત્ય નવા અનુભવના પાઠે બારડોલીના. નિશાળિયાઓ ભણી રહ્યા છે. ”
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy