SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ ખેડૂતાના સરદાર "C ‘મારું પેટ ખેડૂતેમનાં દરદથી ભરેલું છે. હું પ્રભુ પાસે રાતદિવસ એટલું જ માગ્યા કં છું કે ખેડૂતાની સેવા કરતાં મારાં હાડ પડે. ’’ ' આ અરસામાં વજ્રભભાઈનું નામ ‘ ખેડૂતાના સરદાર ’ પડયું. એ ક્યાં અપાયું, કાણું આપ્યું એ હું શેાધી શક્યા નથી, પણ જેણે એ સાંભળ્યું. તેણે એ ઉપાડી લીધું. અને મ ઉપાડી ન લે? જેણે જેણે એમનાં ભાષણા વાંચ્યાં અને સાંભળ્યાં તેણે તેણે ખેડૂતને માટે લીધેલા એમને ભેખ જોયે, ખેડૂતને માટે ઊકળતું એમનું હૈયું જાણ્યું, ખેડૂતનાં દુઃખાનું એમનું જ્ઞાન જાણ્યું. ખેડૂત કેવાં કષ્ટ ખમી ખેતી કરે છે, ખેડૂતની ઉપર ક્યાં ક્યાંથી કઈ કઈ જાતના માર પડે છે એ વિષેનું તેમનું જ્ઞાન જાણ્યું. એક સ્થાને શ્રી. વલ્લભભાઈ ને માનપત્ર આપવામાં આવ્યું હતું તે માનપત્ર વાંચતાં એક ભાઈએ કહેલું : ‘ આપની આગળ ખેડૂતનાં દુઃખ રહી સંભળાવવાં એ માતાની આગળ મેાસાળની વાત કરવા અરેાબર છે. ' એ યથાચિત હતું. માતાને જેવું મેાસાળનું જ્ઞાન છે તેવું વલ્લભભાઈ તે ખેડૂતનું જ્ઞાન છે. પાતે ખેડૂતના દીકરા હાઈ નાનપણમાં આંક, પલાખાં, પાડા, લેખાં પિતાની સાથે ખેતરે જતાં જ શીખેલા, તેમને ખેડૂતના જીવનની જાણ કેમ ન હેાય ? તેમનાં અનેક ભાષણામાં તેએ ખેડૂતની સેવા કરવાની પોતાની લાયકાતની ખેડૂતાને અને સરકારને જાણે ખાતરી આપતા હોય એમ લાગે ' છે ‘તમે જાણતા ન હો તે હું તમને કહું છું કે હું ખેડૂતના • દીકરા હું અને ખેડૂતનું લોહી, મારા હાડમાં વહે છે. મને ખેડૂતનું કંગાળપણુ સાલે છે, ખેડૂતના દર્દથી મારું દિલ દુ:ખી રહે છે. ગાંધીજીએ સાચું હિહંદુસ્તાન ક્યાં છે એ વાત જે દિવસથી તેઓ દાક્ષણ આફ્રિકાથી હિંદુસ્તાન પાછા ફર્યાં તે દિવસથી દેશના “કેળવાયેલા વર્ગોના મન ઉપર હંસાવવામાં કચાશ નથી રાખી, અને ૯૪
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy