SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪ થું. વી. નિ. કાળગણનાને અંગે આધુનિક વિદ્વાનોના મતભેદેની પાચના. ડૉ. હરમન જેકેબીએ જેનાચાર્ય શ્રી હેમચંદ્રજીના એક ઉલ્લેખના આધારે મહાવીર નિર્વાણના પ્રચલિત સંવતની સત્યતા સંબંધી સંદેહ દર્શાવ્યો છે. તેણે આ વિષયમાં પિતાને જુદે જ મત રજૂ કર્યો છે, જેના પરિણામે આ વિષય વિશેષ સમાલોચનાને પાત્ર બને છે. 3. હરમન જેકેબી અને તેમના મત સમર્થક હૈ. જાલં ચારપેન્ટીયર પ્રચલિત વિરનિર્વાણ સંવમાંથી ૬૦ વર્ષ બાદ કરી ઈ. સ. પૂર્વે ૪૬૭ વર્ષ ઉપર પ્રભુ મહાવીરનું નિર્વાણ થયું હતું એ પ્રમાણે દર્શાવે છે. તેમણે આના સમર્થનમાં કલ્પસૂત્ર અને Second books of the East નામના પુસ્તક ૨૨ ની પ્રસ્તાવનામાં આ વિષય ઉપર ચર્ચા રજૂ કરી વીરનિર્વાણુ સંવત્ ઈ. સ. પૂર્વે ૪૬૭માં લઈ જવા પ્રયત્ન કર્યો છે. ઉપરોક્ત દલીલો અનુસાર ડો. જાલં ચારપેન્ટીયરે વિસ્તૃત નિબંધ લખી પ્રોફેસર જેકેબીના મતનું સમર્થન કર્યું છે. ઉપરોક્ત લેખ કાળગણનાનાં વિષયમાં પશ્ચિમોત્તર વિદ્વાનેએ લખેલા લેખમાં અધિક વિસ્તૃત છે. ઉપરોક્ત વિદ્વાને પિતાના મતની પુષ્ટિમાં નીચે મુજબ દલીલે રજૂ કરે છે – ( ૧ ) જે ગાથાઓના આધાર ઉપર વિરનિર્વાણ સમય પ્રતિપાદન કરવામાં આવ્યું છે તેમાં દર્શાવવામાં આવેલ રાજાઓનાં સ્થાનેને સંબંધ ઐતિહાસિક ઘટનાઓ સાથે બંધબેસતે ન થવાના કારણે તેમના સત્તાસમયના આધાર પર ગણવામાં આવેલ નિર્વાણ સમયની ગણના સત્ય કરી શકતી નથી. ( ૨ ) મહાવીરનિર્વાણ બાદ ૪૭૧ વર્ષે વિક્રમ સંવત્ માન્ય રાખી વીરનિર્વાણ સંવત ગણવામાં આવે છે તે પણ બંધબેસત થતું નથી.. સબબ એ સમયે સંવત્સર પ્રવર્તક વિકમ નામે કઈ વ્યક્તિનું અસ્તિત્વ ઈતિહાસમાં દેખાતું નથી, તે તેના નામથી
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy