SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ મર્ય સામ્રાજ્ય પતના માર્ગે जं रवणि सिद्धिगओ, अरहा तित्थंकरो महावीरो । तं स्यणिमवंतीए, अभिसित्तो पालयो राया ॥ पालगरण्णो सडि, पुण पुण्णसयं वियाणि गंदाणम् । मुरियाणं ससियं, पणतीसा पूसमित्ताणम्( तस्स ) ॥ પ્રભુ મહાવીરના નિર્વાણના દિવસે પાલક રાજાને રાજ્યાભિષેક થયે. પાલક રાજા ૬૦ વર્ષ, નન્દવંશ ૧૫૦ વર્ષ. મર્યવંશ ૧૬૦ વર્ષ. બાદ પુષ્યમિત્રે મગધની રાજ્યગાદી પ્રાપ્ત કરી અને ૩૫ વર્ષ સુધી રાજ્ય ભોગવ્યું. મહારાજા દશરથને જગતના ઈતિહાસકારો સમ્રા અશોકના પુત્ર તરીકે વર્ણવે છે. છે કે તે બાબતમાં અમને શંકા રહે છે. તેના અંગે બે મત હોવા છતાં જ્યારે બહુમતિ સમ્રાટ અશોકના પુત્ર તરીકે અને સમ્રાટ્ સંપ્રતિના કાકા તરીકે તેની તરફેણમાં જાય છે ત્યારે અમારે પણ એ જ વસ્તુ ગ્રહણ કરી બહુમતિને માન્ય રાખવાની જરૂરિયાત ઉપસ્થિત થાય છે. આ મહારાજા દશરથે માર્ય સામ્રાજ્યની રાજ્યગાદી, મહારાજા અશોકના જીવનકાળ દરમિયાનમાં પણ મગધના સૂબા તરીકે ઈ. સ. પૂર્વે ૨૫૭ થી ભેગવવી શરૂ કરી હતી. . સ. પૂર્વે ૨૩૫ માં મહારાજા અશોકને સ્વર્ગવાસ થતાં મહારાજા સંપ્રતિને રાજ્યગાદી મળી છતાં પણ મહારાજા સંપ્રતિના સ્વર્ગવાસ પર્યત સમ્રા સંપ્રતિના પ્રતિનિધિ તરીકે તેમણે જ સ્વતંત્રપણે મગધની ગાદી ભેગવી. ત્યારબાદ સમ્રા સંપ્રતિને સ્વર્ગવાસ થતાં ઈ. સ. પૂર્વે ર૦૩ થી ૧૮૮ સુધી તેમણે મગધ સમ્રાટ તરીકે ગાદી ભેગવી. એટલે મગધની રાજ્યગાદી ભેગવવાને ૬૯ વર્ષ જેટલા દીર્ઘ સમય સુધી કઈ પણ ભાગ્યશાળી થયું હોય તે તે મહારાજા દશરથ જ હતા. - ઈ. સ. પૂર્વે ૨૦૩ માં જ્યારે મહારાજા દશરથને રાજ્યગાદી મળી ત્યારે તે વૃદ્ધ અવસ્થામાં હતા છતાં તેમના રાજ્યહક્કને માન આપવા ખાતર જ રાજ્યગાદી તેમને સુપ્રત કરવામાં આવી હતી. ખરી રીતે તે રાજ્યવહીવટ અન્ય રાજ્યપુત્રે જ સંભાળતા હતા. મહારાજા સંપ્રતિની આજ્ઞાથી અવન્તીની ગાદી શાલીસુક સંભાળતા હતા. મહારાજા સંપતિના સ્વર્ગવાસ પછી સંપ્રતિ મહારાજાના યુવરાજ કુમાર વૃષભસેનને અવન્તીની રાજ્યગાદી પ્રાપ્ત થઈ. શાલીસુક સાથે વૃષભસેનને અણબનાવ રહેવા લાગે, જેના ગે યુવરાજ વૃષભસેન, મહારાજા સંપ્રતિના સ્વર્ગવાસ પછી પશ્ચિમોત્તર પ્રાંતમાં બળ જાગતાં ત્યાં જબરજસ્ત સૈન્ય લઈ
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy