________________
સમ્રાટું સંપ્રતિ આ કાળમાં પ્રથમ યુગલિયાઓની વ્યવસ્થા માટે સાત કુલકરેની નીમણુક રાજા તરીકે થયેલ હતી અને અહીં સુધી વ્યવસ્થાપકને કુલકર તરીકે સંબોધવામાં આવતા. - જ્યારે ત્રાષભદેવજી આઠ વરસના થયા ત્યારે એક સુકાયેલ તાડવૃક્ષનું ફળ પવનના યેગે પડવાથી બાળકપણાને યોગ્ય પરસ્પર ક્રીડા કરતું કેઈ યુગલિયાનું જેડું તે તાડવૃક્ષ નીચે હતું તેમાંથી દેવગે તે યુગલિયામાંનાં બાળક પુરુષનું અપમૃત્યુ થયું અને તે પંચત્વ પામી ગયો. આ અપમૃત્યુને બનાવ આ કાળમાં પ્રથમ જ હતું. અલ્પ કષાયને લીધે તે યુગલિક બાળક સ્વર્ગમાં ગયે, જેવી રીતે અલ૫ ભારને લીધે તુલા પણ આકાશમાં જાય છે.
આ કાળ સુધી મહાપક્ષીયે જે યુગલીયાનાં મૃત શરીરને ઉપાડી સમુદ્રમાં નાખી દેતાં હતાં તેને નાશ થયે હતો તેથી તે કલેવર ત્યાં જ પડી રહ્યું. આ ડામહેલી બાલિકા કે જેનું નામ સુનંદા હતું તેને તેના માતપિતાને ત્યાં રક્ષણાર્થે મૂકવામાં આવી છે ત્યાં થોડા દિવસ ઉછરી.
યુગલિયામાં એવો રિવાજ હતું કે પિતાનાં જીવનનાં અંતિમ કાળમાં યુગલિયાએ યુગલિક બાળકને જન્મ આપી, તે બાળકો અમુક સમયે ઉમ્મર લાયક થતાં તેમના જન્મદાતા માબાપ એક જ દિવસે કઈ પણ જાતના રોગ અને વ્યાધિ રહિત સમાધિપૂર્વક મૃત્યુ પામી સ્વર્ગે જતાં. તેની માફક અહીં પણ એવું બન્યું.
પેલી બાલિકાનું હવે શું કરવું ? તેના વિચારમાં સર્વ મુંઝાયા. બાલિકા અત્યંત સ્વરૂપવતી અને સંસ્કારી જણાવાથી આગેવાને, તેણીનાં લગ્ન જરૂર તેના જેવા જ ઉત્તમ પુરુષ સાથે થવાં જોઈએ એવા નિશ્ચય ઉપર આવ્યા, અને તેમણે એકત્ર થઈ નાભિ રાજા પાસે આવી તેને સેંપી અને રૂષભદેવની ધર્મપત્ની તરીકે આ બાલિકાનો સ્વીકાર કરી રૂષભદેવને અમારા સ્વામી બનાવે એવી વિનંતિ કરી. આ સમયે જગતને માર્ગદર્શક બનવા સાધર્મ અવધિજ્ઞાનથી આ પ્રસંગને જાણે સ્વર્ગમાંથી ત્યાં બ્રાહ્મણ સ્વરૂપે આવ્યા અને તેમણે જાતે આવી રૂષભદેવજીને કહ્યું કે-“હે પ્રભુ! તમારે હજી ત્રીશ લાખ પૂર્વ સુધી કર્મો દઢપણે ભેગવવાં પડશે એમ મને અવધિજ્ઞાનવડે દેખાય છે. જેમાં આ અવ્યવસ્થિત જંગલીપણાનાં ભાઈબહેન વચ્ચે એકબીજાનાં લગ્નની પ્રથા દૂર કરવા તમારે આ બાલિકા સાથે લગ્ન કરવાં. આપ સુખેથી લગ્ન કરી સુનંદા અને સુમંગલાના સ્વામી બને.”
અષભદેવજીનાં માતાપિતાએ તરત જ ઇદ્ર મહારાજની સલાહ માન્ય કરી. સાથે યુગલિયાઓની આજીજીને પણ સ્વીકાર કર્યો અને સુનંદા સાથે સુમંગલા કે જે ઋષભદેવની સાથે યુગલિયા તરીકે જન્મી હતી તેનાં લગ્ન-સમારંભમાં ચેસઠ ઇંદ્ર અને ઈંદ્રાણીઓએ અતિ હર્ષ પૂર્વક પિતા પોતાના દેવતાઈ વૈભવશાલી રસાલા સાથે આવીને ભાગ લીધો. દેવીઓએ બે પક્ષમાં વહેંચાઈ ખૂબ હેશથી ગીત ગાઈ મનને હવે પૂરો કર્યો. તેઓ માટે પણ