SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ યુગાદિ પ્રથમ તીર્થં કર શ્રી ઋષભદેવ આ માંગલિક અવસર પ્રથમ હતા. ત્યારથી લગ્નપ્રસંગે હોંશથી ખૈરાંઓમાં ગીત ગાવાનો પદ્ધતિ ચાલુ થઇ છે. X X પ X એક સમયે પ્રાત:કાળે જેમ દીપકનુ તેજ હણાઈ જાય તેમ કાળોષથી સર્વે કલ્પવૃક્ષાના પ્રભાવ તદ્ન હણાઈ ગયા, જેથી યુગલિયાના ઉત્તરનિર્વાહ અર્થે જબરજસ્ત કાલાહલ થયા. યુગલિયાએએ એકત્ર થઇ, રૂષભદેવજી પાસે આવી, અસમંજસ બનતા સર્વે અનાવાનું તેમને નિવેદન કરી પેાતાના રાજા થવાની માગણી કરી કે– હે સ્વામિન્! તમે અમારા રાજા મના, કારણ કે અમારામાં આપની સદ્દેશ બીજો કાઈ જ્ઞાની દેખાતા નથી. 9 રૂષભદેવે કહ્યું: ‘તમે ઉત્તમ એવા નાભિ કુલકર પાસે જઈ પ્રાર્થના કરી. તે તમને રાજા આપશે. ' તેઓએ તે પ્રમાણે કર્યું. અને નાભિરાજાએ રૂષભને રાજા થવાની આજ્ઞા આપી. પછી યુગલિયાએ અતિ હર્ષિત થઈ યુગધર્મી પ્રથમ રાજવી તરીકે રૂષભને રાજ્યાભિષેક કરવા જળ લેવા તે જ સમયે નદી તરફ ગયા. આ સમયે સ્વર્ગમાં ઇંદ્રનું સિંહાસન કપ્યું. અવધિજ્ઞાનવડે રૂષભદેવના રાજ્યાભિષેક જાણી કેંદ્ર તરત ત્યાં આવ્યેા. પછી તે સાધ કલ્પના ઇંદ્રે સુવર્ણની વેદિકા બનાવી. અતિપાંડુકબલા શિલા કે જેના પર તીર્થંકરા બિરાજમાન થાય છે તેની જેમ તેની ઉપર એક સિંહાસન રચ્યું અને પૂર્વ દિશાના અધિપતિ તરીકે સ્વસ્તિવાચક ગારની જેમ તેણે લાવેલા તી જળથી રૂષભદેવજીને રાજ્યાભિષેક કર્યાં. પછી ઇંદ્રે નિર્મળપણાથી ચંદ્રના સુદર તેજોમય દિવ્ય વસ્ત્રો રૂષભદેવજીને ધારણ કરાવ્યાં અને ત્રણે જગતના મુગટરૂપ સ્વામીનાં અંગ ઉપર મુગટ વિગેરે રત્નાલંકાર ચેાગ્ય સ્થાને પહેરાવ્યા એટલામાં તે પેાતાના હસ્તપાત્રમાં જળ લઇ યુગલિયાએ આવી પહોંચ્યા. તેએ પ્રભુને વિભૂષિત ને દેવતાએથી પૂજિત થતા જોઇ વિનયયુક્ત તેમની આગળ ઊભા રહ્યા. દિવ્ય વસ્ત્ર અને અલંકારથી અલંકૃત થયેલા પ્રભુનાં મસ્તક ઉપર જળ નાખવું ઘટે નહી એમ વિચારી તેઓએ તેમનાં ચરણ ઉપર જળ ક્ષેપવ્યુ, તેથી આ સર્વે યુગધર્મીએ સારી રીતે વિનીત થયા છે જાણી તેઓને રહેવા માટે ઇંદ્ર મહારાજા, વનીતા નામે નગરીનીર્માણ કરવા કુબેરને આજ્ઞા કરી સ્વસ્થાને ગયા. . કુબેરે ખાર જોજન એટલે અડતાલીસ ગાઉની ને નવ જોજનના વિસ્તારવાળી કહેતાં છત્રીસ ગાઉના ઘેરાવાવાળી નગરી રચી. તેનુ અચાખ્યા એવું બીજું નામ રાખ્યુ. નગરીની બહાર ઉત્તમ એવા સૂરજકુંડ નામે કુંડ કૉંબંધના ખપાવવા તરત જ મનાવી આપ્યું. વર્તમાન કાળમાં પણ હજી સુધી આ સૂરજકુંડ નજદીક દર વર્ષે ભાદરવાના પ્રથમ રિવવારે સુંદર મેળા ભરાય છે, જેના લાભ દૂર દૂરનાં હજારો યાત્રાળુએ લઇ પેાતાનાં કર્મ બંધના શ્રદ્ધાથી ખપાવે છે.
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy