SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૭ મું. નંદ ૪થો ઊર્ફે મહારાજા સુમાલી. વિરનિર્વાણ ૧૪૭ થી ૧૫૪, ઇ. સ. પૂર્વે ૮૦ થી ૩૭૩: ૭ વર્ષ. સ્વ. મહારાજા મહાનંદને પુત્ર સુમાલી તેની પછી રાજ્યગાદી ઉપર આવ્યા હતા. તેનાં રાજ્યામલ દરમ્યાનમાં મહારાજા નંદના અન્ય પુત્રોએ પિતાનો અસંતોષ જાહેર કરી, રાજ્યગાદી ઉપર પોતાનો હક્ક છે એવું બનાવી તેઓએ બંડ-બખેડા ઉત્પન્ન કરવા પ્રયાસ કર્યો. બાદ આ વર રાજ્યપુત્રએ મગધને ત્યાગ કર્યો. આ પુત્રો પૈકી બે રાજ્યપુત્રોને તેમના મોસાળ પક્ષના રાજ્યવંશીઓને તથા મહારાજા મહાનંદના અંતિમ રાજ્યામલ સમયે શકલાલ મંત્રીના અગ્ય વધના કારણે રાજ્યાધિકારી વર્ગને આંતરિક સાથ મળે, જેના વેગે એક ભાઈએ મગધના બે મોટા પ્રાન્તો કબજે કરી લીધા. બીજા ભાઈએ આગળ વધી આશ્વ પ્રદેશ પણ કબજે કર્યો. પરિણામે મગધના સામ્રાજ્યમાંથી બે મોટા પ્રાન્ત મધ્યપ્રાંત અને આંધ્રપ્રાંત આ પ્રમાણે છુટા પડ્યા. બીજા રાજ્યકુમારોએ કઈ પણ જાતની વીરતા દાખવ્યાને ઈતિહાસ ગ્રંથને પાને નેંધા નથી. એટલે સમજવા પ્રમાણે બીજા રાજપુત્ર વિલાસપ્રિય હોવા જોઈએ . ઉપર પ્રમાણે સાત વર્ષના ગાળા સુધીમાં એટલે વીરનિવણ ૧૪૭ થી ૧૫૪ સુધી મહારાજા સુમાલીએ રાજ્ય ભેગવ્યું. તેમના રાજ્યામલ દરમિયાનમાં યુગપ્રધાન શ્રી યશોભદ્રસૂરિજીને ૫૦ વર્ષ સુધી યુગપ્રધાનપદ ભોગવી, મગધ સામ્રાજ્યમાં જૈનધર્મને સુંદર પ્રચાર કરી, વીરનિર્વાણ ૧૪૮ માં સ્વર્ગવાસ થયે. યશોભદ્રસૂરિના સ્વર્ગવાસ બાદ તરત જ શ્રી સંભૂતિવિજયસૂરિને ચતુર્વિધ સંઘે યુગપ્રધાનપદ અર્પણ કર્યું. તેઓ આ મહારાજાના અંતિમ કાળ સમયે યુગપ્રધાનપદે પૂર્વધર આચાર્ય તરીકે વરપ્રભુની છઠ્ઠી પાટે વિદ્યમાન હતા. &FSC
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy