________________
સાધના કરવા તૈયાર જ ન થાવ તો ભગવાન શું કરે ? બોલો, મોક્ષની સાધના કરવા તમે તૈયાર થયા છો ?
તમારા (હેમચન્દ્રસાગરસૂરિજી) અને મારા વચ્ચે કોઈ ગુરુ-શિષ્યનો સંબંધ ખરો ? છતાં તમે પૂછવા આવો તો હું ના કહું ?
ઘરનો એક અક્ષર અહીં નથી કહેતો. પૂર્વાચાર્યોએ કહેલું – અનુભવેલું કહું છું. એવી પંક્તિઓ મારી સામે છે. કોઈ ભૂલ હોય તો કહેજો હું સુધારીશ. તમે ગીતાર્થ છો.
હરિભદ્રસૂરિજી સ્વયં પણ પોતાના તરફથી નથી કહેતા. જુઓ, તેઓ સ્વયં કહે છે : “વાક્ષેપરમિતિ વિદwવાદા' ભગવાન યોગ-ક્ષેમ કરનારા છે, એમ પ્રાજ્ઞપુરુષો કહે છે. યોગ-ક્ષેમ ન કરતા હોય ને માત્ર મહત્ત્વ વધારવા આ વિશેષણ નથી વપરાયું. વસ્તુતઃ ભગવાન યોગક્ષેમ કરી જ રહ્યા છે, માટે જ ભગવાન “નાથ” કહેવાયા છે.
કેટલાય પ્રસંગોએ ભગવાન નાથ છે, યોગક્ષેમ કરે છે, એવું નથી લાગતું ? ભગવાનની આજ્ઞા સ્ટેજ છોડી અને આપત્તિમાં મૂકાઈ ગયા, તેવું નથી બનતું ?
ગઈ કાલે જ એક સાધ્વીજી બે ઘડા પાણી લાવતા હતા. (જો કે તેઓ એક જ ઘડો લાવે છે. બીજો ઘડો તો બીજાનો હતો. પાંચ ડગલા આગળ મૂકવા ગયેલા.) ઘડા ફુટ્યા. સાધ્વીજી સખ્ખત દાઝી ગયા ! જોવું હોય તે એમની દશા જોઈ આવે. માટે જ હું બે ઘડા લાવવાની ના પાડું છું.
પૂ. કનકસૂરિજીના જમાનામાં તો પ્લાસ્ટિક હતું જ નહિ. પૂ. કનકસૂરિજીના કાળધર્મ પછી (વિ.સં. ૨૦૨૦) પૂ. રામસૂરિજી (ડલાવાળા) કચ્છમાં આવેલા. ત્યારે અમારી પાસે એક પ્લાસ્ટિકની કાચલી જોઈ પૂછેલું : તમારા સમુદાયમાં પણ પ્લાસ્ટિક આવી ગયું ?
ત્યારે અમે કહેલું : “ભૂલથી એક કાચલી આવી ગઈ છે !' આજે તો પ્લાસ્ટિકનો અમર્યાદ ઉપયોગ થવા લાગ્યો છે. પૂ. કનકસૂરિજી મ. તો પ્લાસ્ટિકનો માલ લઈને કોઈ શ્રાવક
૫૦
*
*
*
*
*
*
*
*
*
*
*
* ૨