________________
(૧) દર્શન મોહ-દર્શનત્રિકને ખપાવવાની ઈચ્છા. (૨) તેનું ક્ષપણ અને (૩) ક્ષય પછીની અવસ્થા.
છઠ્ઠી ગુણશ્રેણિમાં શેષ મોહનીય કર્મની ૨૧ પ્રકૃતિઓના ઉપશમનો પ્રારંભ થાય છે. તેને “મોહ-ઉપશામક અવસ્થા કહે
સાતમી ગુણશ્રેણિમાં ઉપર મુજબની મોહનીય કર્મની ૨૧ પ્રકૃતિઓ ઉપશાંત થાય છે, તેને “ઉપશાન્ત-મોહ' અવસ્થા કહે
છે.
આઠમી ગુણશ્રેણિમાં શેષ મોહનીય કર્મની ૨૧ પ્રકૃતિના ક્ષયનો પ્રારંભ થાય છે, તેને “મોહ-ક્ષપક અવસ્થા કહે છે.
નવમી ગુણશ્રેણિમાં એ જ શેષ મોહનીય કર્મની પ્રકૃતિઓનો અર્થાત્ મોહનો સર્વથા ક્ષય થાય છે, તેને “ક્ષીણમોહ અવસ્થા કહે છે.
(૧૧) નાદ (૧૨) પરમ નાદ ધ્યાન :
ખાલી પેટે કાનમાં આંગળી નાખતાં જે અંદર અવાજ સંભળાય તે દ્રવ્ય નાદ છે.
આંગળી વિના સ્વયં વિવિધ વાજીંત્રોનો સ્પષ્ટ અલગ અવાજ સંભળાય તે પરમ નાદ છે.
સંકલ્પ-વિકલ્પ હોય ત્યાં સુધી નાદ ન સંભળાય, મન અત્યંત શાન્ત અવસ્થામાં હોય ત્યારે જ અનાહત નાદ સંભળાય.
પણ આ સાધ્ય નથી, મંઝિલ નથી, માત્ર માઈલસ્ટોન છે, એ ભૂલવું નહિ. અહીં અટકવાનું નથી. પરમાત્મદેવને મળ્યા વિના ક્યાંય અટકવાનું નથી. આપણી આત્મ-વિશુદ્ધિ થઈ તેના આ ચિહ્નો જરૂર છે, તમારું મન ભગવાનમાં લીન બની જાય એટલે આ નાદોના અવાજો બંધ થઈ જાય છે. મંદિરમાં ઘંટનાદ અનાહતનું જ પ્રતીક છે. પ્રારંભમાં ઘંટનાદ કરવાનો, પણ પછી ઘંટનાદ છોડી પ્રભુમાં ડૂબી જવાનું.
- નાદનો સંબંધ પ્રાણ સાથે છે. ભગવાન બોલે છે ત્યારે પરા વાણીથી ક્રમશઃ વૈખરીમાં
* *
* =
=
=
*
*
* * * * * ૧૩૯