________________
સુરત હોઉં ત્યારે સૂરજમંડન પાર્શ્વનાથના દર્શને અવશ્ય જાઉં ! એમની નયનરમ્ય એ પ્રતિમા ! આજે પણ યાદ આવે.
બીજું આલંબન : વર્ણનું. વિશિષ્ટ પદ વાક્યની રચનાવાળા સ્તવનાદિ. આમાં નવકાર સૌથી ઉત્તમ છે.
- ત્રીજું આલંબન : ઉત્તમ પુરુષ : વિહરમાન સીમંધરસ્વામી આદિ તથા ઉપકારી આચાર્ય ભગવંતો આદિ. પૂ. વિનયવિજયજી મ.સા. તથા પૂ. યશોવિજયજી મ.સા.એ પોતાના ગુરુને આગળ રાખેલા.
• ઉત્તમ પુરુષની નિશ્રામાં આપણું મન વ્યગ્રતા વગરનું, મન ભાર વગરનું બની જાય, એનો અનુભવ હશે.
૦ તમને અહીં કાંઈ ફરક લાગે છે ? અલગ ચાતુર્માસ હોય ને તમારા માથે જવાબદારી હોય. અહીં કોઈ જવાબદારી ખરી ? કોઈપણ આવે મોટા મહારાજનો રસ્તો બતાવી દેવાનો...
આલંબન પ્રશસ્ત હોય તો પ્રાયઃ ભાવ ઉત્તમ થાય જ. પ્રાયઃ એટલા માટે કે અભવ્ય જીવ વગેરેને ભાવ ઉત્તમ ન પણ થાય.
ઉત્તમ સંગે રે ઉત્તમતા વધે... પ્રભુના ગુણો પ્રભુને રાજી કરવા માટે નથી. તેઓ તો બધા પર રાજી જ છે. પણ આપણે પ્રભુના ગુણો ગાઈએ તો આપણામાં એ ગુણો જરૂર આવે. આપણા માટે લાભકારી બને. “જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ...”
अध्यात्मयोगी - जिनशासन प्रभावक आचार्यवर्य श्री कलापूर्णसूरीश्वरजी म.ना आकस्मिक कालधर्मना समाचार जाण्या । देववंदनादि करेल छे । तमो सौ धैर्य राखशो, भावि प्रबल छे । सद्गतनो आत्मा परम शांतिने पामे ए ज कामना ।
- एज... जिनोत्तमसूरिनी वंदना
૨૭-ર-ર૦૦ર રાળી સ્ટેશન.
8
૨૦
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧