________________
આ પુસ્તક દ્વારા પૂજ્યશ્રીની ગુણોની સુગંધ ચારે બાજુ ફેલાઈ રહી છે. પૂજ્યશ્રીની વાચનામાં તેમના શબ્દો પાછળ બેસવાથી સંભળાતા નહીં તે આપશ્રીની પરોપકાર દૃષ્ટિના કારણે આ પુસ્તક દ્વારા સાંભળવા મળ્યા.
- સા. પરમકરુણાશ્રી
રાજકોટ
આ વાચના દ્વારા ગુરુ ભગવંતે અમારા જેવા અજ્ઞાની ઉપર અનહદ ઉપકાર કર્યો છે. એનું ઋણ ચુકવવા પણ અમે સમર્થ નથી.
- સા. પપ્રદર્શનાર્થી
રાજકોટ
આ પુસ્તક જ્યારે હાથમાં આવ્યું ત્યારે એમ જ થાય છે કે દેવલોક ભણી ગયેલા સાહેબ જાણે મારી પાસે જ છે.
- સા. પુન્યરત્નાશ્રી
રાજકોટ
જેમ જેમ અમૃત પીએ તેમ તેમ મીઠું લાગે તેમ આ પુસ્તક જયારે પણ હાથમાં લઈએ છીએ તેટલી વાર બસ એમ જ થાય છે કે વારંવાર આ પુસ્તક વાંચ્યા કરીએ.
- સા. વિશ્વદર્શિતાશ્રી
પાલીતાણા
હવે ભલે પૂજ્યશ્રી આપણી પાસે દેહ રૂપે હયાત નથી. પણ પુસ્તક વાંચતાં જાણે સાક્ષાત્ પૂજ્યશ્રી વાચનાઓ આપી રહ્યા હોય, એવો અનુભવ થયા વિના રહેતો નથી.
- સા. પ્રશમનિધિશ્રી
રાજકોટ
પૂજ્યશ્રીની વાણી જોરદાર છે. વર્ણન કરવા શબ્દો ટૂંકા પડે છે.
- સા. સંવેગપૂણગ્રિી
પાલીતાણા
કહે કલાપૂર્ણસૂરિ-૧
* * * * * *
* * * * * *
૦૦૧