________________
અભિપ્રાયોની હેલી ‘ભૂકંપમાં ભ્રમણ” પુસ્તક મળ્યું. એક પછી એક ઘટના વાંચતા જઈએ અને ભૂકંપ કેવો હૃદયદ્રાવક હતો તે અનુભવાતું જાય અને “મા મૂત્ ક્રોડપિ દુ:ઉમાશું આ ભાવના દિલમાં ઘુંટાતી જાય.
વાસ્તવિક ઘટનાઓ હૃદયને તરત અસર કરે છે અને તે ઘટનાઓ જ્યારે મુનિચન્દ્રવિની કલમે આલેખાય ત્યારે અંતરને અડ્યા વિના - રડાવ્યા વિના રહેતી નથી.
પૂ. ગુરુદેવ (પૂ. કલાપૂર્ણસૂરિજી)ને પણ થોડાક પ્રસંગો ગઈ કાલે સંભળાવ્યા. તેઓશ્રી પણ ગદ્ગદિત બની ગયા.
- પં. ભૂત વિજય પો.વ. ૮, બાલવાડા (રાજસ્થાન)
કહે કલાપૂર્ણસૂરિ-૩ મણિકાન્તભાઈ ઝવેરી પાસેથી મેળવ્યું. લલિતવિસ્તરાની અનુપ્રેક્ષામાં ભીંજાવાનું ભાથું મળ્યું. રવિવારીય સમૂહ પ્રવચનમાળાના અંશો નિહાળ્યા. એ પાવનીય નમનીય દશ્યમાં સાક્ષાત તો હાજર નહોતા, પણ ઝલકનો અનુભવ મળ્યો. સંકલન અભુત કર્યું છે. બાંધવ-બેલડીના આ સુકૃતો ચિરંજીવ નજરાણા બની રહેશે.
- મુનિ દેવરત્નસાગર
મુંબઈ
‘ભૂકંપમાં ભ્રમણ' પુસ્તકમાં પ્રત્યક્ષ નિહાળેલ પ્રસંગોને શબ્દોમાં કંડારી અનિત્યાદિ ભાવનાઓ દ્વારા બિહામણા સંસાર-સાગરનું તાદશ સ્વરૂપ ખડું કરેલ છે. કરુણતા, ખુમારી, ઉપગ્રાહિતા આદિ ગુણોને ખીલવવામાં આ પુસ્તક ખૂબ જ ઉપયોગી નીવડશે.
- દલસુખભાઈ એફ. શેઠ સેક્રેટરી : જૈન સંઘ, ડીસા : તા. ૬-૨-૨૦૦૨
હમણા હું દિલ્હી ગયેલો. ત્યાં કેન્દ્રીય મંત્રી કાશીરામ રાણાના ટેબલ આપનું પુસ્તક (ભૂકંપમાં ભ્રમણ) જોવા મળ્યું. મને ખૂબ જ આનંદ થયો.
- રાજુભાઈ એન. કુબડીયા
રાધનપુર
કહે
*
ઝ
ઝ
ઝ
ઝ
ઝ
*
* *
* ૫૯૩